SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮) સૂત્ર - ૨૪:-પુદ્ગલના અન્ય ૧૦ પ્રકાર ૨૭૯ [૮] છાયા - (જુઓ પૃ. ૮૯, ૯૦) પ્રકાશ ઉપર આવરણ આવવાથી છાયા પડે છે. તે બે પ્રકારની છે, (૧) તકર્ણ પરિણત, અને (૨) આકૃતિરૂપ છાયા. (૧) દર્પણાદિ સ્વચ્છ પદાર્થોમાં મુખાદિનું પ્રતિબિંબ પડે છે. તે તર્ણ પરિણત છાયા. તેમાં મુખના આકાર, વર્ણાદિ જેમના તેમ દેખાય છે, અને વસ્તુઓની ડાબી જમણી બાજુઓ ઉલટી થયેલી દેખાય છે. જેને Virtual images કહે છે. (૨) અસ્વચ્છ વસ્તુઓ પર પડતો પડછાયો તે આકૃતિરૂપ છાયા છે. તેને univerted images કહે છે. તેમાં ડાબી-જમણી બાજુ બદલાતી નથી. [૯-૧૦] આતપ અને ઉદ્યોત - પ્રકાશ પણ પુગલ છે. તેના બે પ્રકાર છે. આતપ = ગરમપ્રકાશ, ઉદ્યોત = ઠંડો પ્રકાશ. સૂર્યના પ્રકાશને આતપ કહેવામાં આવે છે. સૂર્ય, એ સૂર્યકાન્તમણિના સ્ફટિકનો વિશાળ ગોળો છે. સ્વયં શીત છે પરંતુ સૂર્યકાન્તમણિની માફક તેનો પ્રકાશ ઉષ્ણ છે. જેમ દૂર જાય તેમ તેના કિરણો વધુ ગરમી આપે છે. ચન્દ્ર ચન્દ્રકાન્ત-મણિના સ્ફટિકનો વિશાળ ગોળો છે. ચંદ્રના પ્રકાશને ઉદ્યોત કહેવાય છે. તે પણ સ્વયં શીત છે અને તેનો પ્રકાશ પણ શીત છે, ચંદ્રકાન્ત મણિની માફક. સૂર્ય અને ચન્દ્ર અડધા કરેલા ગોળદડા (કોઠાના ફળ)ના આકારના સ્ફટિકના ગોળા છે. વિદ્યુત ગોળાનો પ્રકાશ ઉષ્ણ છે. જ્યારે હીરાઓમાંથી ફેંકાતો અથવા આગિયા (firefly) નો પ્રકાશ શીત છે. વિદ્યુત ગોળા (bulb) આદિના પ્રકાશમાં ગરમીના કિરણોની પ્રધાનતા છે. જ્યારે રત્નોના પ્રકાશમાં પ્રકાશના કિરણોની પ્રધાનતા છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy