SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પ્રત્યક્ષ છે. તે અવાજના મોજાની જેમ, ગુરુત્વાકર્ષણને પણ પ્રસરવા (દૂરથી) સક્રિય થવા માટે, કોઈ માધ્યમ હોવું જોઈએ. તે પ્રશ્નના ઉકેલ માટે વૈજ્ઞાનિકોએ ઈથરની કલ્પના કરી. પરંતુ તેનું કોઈ આધારભૂત પ્રમાણ ન હતું. ઇથરને માન્યું એટલે તેના સ્વરૂપ વિષે અનુમાનો ચાલ્યા. કેટલાક પ્રયોગો દ્વારા પ્રવાહી, તો વળી કેટલાક દ્વારા સ્થિતિસ્થાપક માન્યું. વળી તે સ્થાયી માનતા હતા પણ પ્રયોગો દ્વારા ગતિમાન જણાયું. પછી ગતિ માપવાનો પ્રયત્ન થયો, તો તે શૂન્ય જણાઈ. એટલે ઇથર કોયડો બની ગયો. આ બધામાં ૨૫૦ વર્ષ પછી આઇન્સ્ટાઇનનો ઉદય થયો. પૂર્વના બધા સિદ્ધાંતોમાં પરિવર્તન આવ્યું. વિજ્ઞાન જગતમાં નવો યુગ જાણે શરૂ થયો. તેણે ઈથરની માન્યતાનું ખંડન કર્યું. ગુરુત્વાકર્ષણને નિષ્ક્રિય કહ્યું. આ બાબતમાં વિજ્ઞાન કેટલું અજ્ઞાન છે તેને લોકોપયોગી સમજ માટે આઈન્સ્ટાઈને એક દૃષ્ટાંત આપ્યું છે. ધારો કે કોઈ માણસને તદ્દન અંધકારવાળા પાંજરામાં મૂક્યો હોય, પાંજરું અત્યંત દૂર તારાઓની જગ્યામાં સ્થિર હોય, માણસનું વજન કંઈ ન હોય. તે પાંજરાની મધ્યમાં કોઈપણ બાજુએ સ્પર્યા વિના તરતો હોય. સ્ટેજ ધક્કાથી ઉપર નીચે કે એક બીજે છેડે જઈ શકે તેમ હોય - હવે આ પરિસ્થિતિમાં, ધારો કે તે ન જાણે તે રીતે પાંજરાના ઉપરના ભાગમાં દોરડું લગાવી તે પાંજરાને ઉપરની તરફ ખેંચવામાં આવે. તે ખેંચવા માટેનું બળ પણ બિલકુલ અવાજ વગર અને સમતુલા પૂર્વક ધીરેથી આપવામાં આવે. તો તે માણસ શું થયું હોવાની કલ્પના કરે? તેને જણાશે કે તે તળીયા તરફ ખેંચાયો, તળીયા સાથે ધીરેથી અથડાયો, એ પછી ઉપરની તરફ ધકેલાયો. (અથવા તેણે પગથી કૂદકો માર્યો તેવું તેને લાગે) અને પછી પાછો ફરી તળીયા તરફ ધકેલાયો. આવા અનુભવો તેને થશે. વાસ્તવમાં બહારથી જોનાર જાણે છે કે માત્ર પાંજરું ઉપરની તરફ ખેંચવામાં આવ્યું છે. પરંતુ ગુરુત્વાકર્ષણની તેની સમજથી ટેવાયેલા તેને
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy