SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) સૂત્ર - ૧૭ :- ધર્મ, અધર્મદ્રવ્ય, અને ગુરુત્વાકર્ષણ. ૧૬૩ સૂક્ષ્મ પરિણામી (૨) બાદર પરિણામી. સૂક્ષ્મપરિણામી સ્કંધ તે વજનરહિત અદૃશ્ય હોવાથી તેની કલ્પનાતીત ગતિ શક્તિ કહી તે સંભવી શકે. વિજ્ઞાને જણાવેલો પ્રકાશનો અણુ તે બાદર પરિણામી સ્કંધ છે. તે દૃશ્ય અને વજન સહિત હોવાથી તેની એટલી તીવ્રગતિ ક્યારેય ન સંભવે. આ બંને પ્રકારની ગતિમાં, અને સ્થિરતા (કોઈપણ વસ્તુને સ્થિર રહેવા)માં, ધર્મ અને અધર્મ દ્રવ્ય, સહાયક કારણ છે. તે આ સૂત્રનું તાત્પર્ય છે. જેવી રીતે જોવાની ક્રિયા માટે આંખે જ સક્રિય થવું પડે છે. પ્રકાશ (અજવાળું) તેમાં સહાયક છે, સક્રિયભાગ ભજવતું નથી. પરંતુ પ્રકાશ વિના આંખ, જોઈ ન શકે. તેવી રીતે ગતિ અને સ્થિર રહેવા (સ્થિતિ) માટે ધર્મ અને અધર્મ દ્રવ્ય-સહાયક સમજવા. આ બે દ્રવ્ય વિષે પૃ. ૨૩થી ૨૬ જુઓ. આધુનિક વિજ્ઞાનનું ગતિકારક બળ, ગુરુત્વાકર્ષણ ઃ આધુનિક વિજ્ઞાન વસ્તુઓને નીચે પડવાના કારણ તરીકે ‘ગુરુત્વાકર્ષણ’ નામનું બળ માને છે. ન્યૂટને ઝાડ ઉપરથી સફરજન નીચે પડ્યું’ તે ઘટનાથી ‘તે ઉપરની તરફ કેમ ન ગયું ?’ આ પ્રકારના એક પ્રાથમિક વિચાર ઉપરથી અનુમાનો અને પ્રયોગો દ્વારા ગુરુત્વાકર્ષણનો સિદ્ધાન્ત વિકસાવ્યો. દરેક પદાર્થમાં ગુરુત્વાકર્ષણ માને છે. પૃથ્વીનો જથ્થો ઘણો હોવાથી, અમુક હદ સુધી તે વસ્તુઓને પોતાની તરફ આકર્ષે છે, માટે પૃથ્વીના વાતાવરણમાં વસ્તુ નીચે પડે છે. ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને આથી પણ વધુ વ્યાપકપણે માન્યો છે. સૂર્યની આસપાસ પૃથ્વી પણ, સૂર્યના ગુરુત્વાકર્ષણથી ફરે છે. ઇથર : ગુરુત્વાકર્ષણ બળ દૂરથી વસ્તુઓને કેવી રીતે ખેંચે છે ? દૂરથી બળને સક્રિય થવા માટે કોઈ માધ્યમ અવશ્ય હોવું જોઈએ. જેવી રીતે અવાજના મોજાને પ્રસરવા માટે હવા (વાયુ)ના માધ્યમની જરૂર પડે છે. તે કારણથી જ હવાથી શૂન્ય પેટીમાંથી ઘંટડીનો આવતો નથી. તે
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy