SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ઉત્સર્પિણી કાળ થશે. બંને મળીને ૨૦ કોટાકોટી (ર૪૧૦૫) સાગરોપમ વર્ષનું કાળચક્ર થશે. આ રીતે ૧૦ કર્મભૂમિઓમાં કાળચક્ર મુજબ ક્રમસર ચડતી પડતી, સતત કુદરતી નિયમ મુજબ થયા કરે છે. બાકીની ૯૧ ભૂમિઓમાં કાળચક્ર નથી. અનાદિકાળમાં અનંત કાળચક્રો થયાં. કલિકાલના પડતા ભાવો - ભગવાનને ઠગ્યા : એક નગરમાં એક કોઈ મોટા સંન્યાસી આવ્યા. તે નગરમાં એક મોટા શેઠ રહેતા હતા. તેમની પાસે ખૂબ પૈસા. એક દિવસ સંન્યાસીએ શેઠને કહ્યું - તમારી પાસે ઘણું ધન છે. તમે મંદિરમાં સોનાની મૂર્તિ પધરાવો – પહેલાં તો શેઠે કંઈ દાદ ન દીધી, બહુ આગ્રહ કરવાથી કબૂલ થયા. અને પોતાના ઓળખીતા સોનીને બોલાવ્યો અને મૂર્તિ બનાવવાનો હુકમ કર્યો. સોનીએ પૂછ્યું – સોનાની કે રૂપાની? શેઠ – જો આપણે થોડામાં જ પતાવવાનું છે મૂર્તિ ભલે રૂપાની હોય પણ ઉપર એવો ઢોળ ચડાવ કે જોનારને તો સોનાની જ લાગે. લોકોને બતાવવાનું છે ને? સોનીએ તો સુંદર રૂપાની મૂર્તિ તૈયાર કરી, ઉપર સોનાનો ઢોળ ચડાવ્યો. મૂર્તિ મંદિરમાં પધરાવવામાં આવી. આખુ નગર શેઠની ઉદારતાના ગુણગાન કરવા લાગ્યું. આ વાતને થોડા દિવસ વીતી ગયા. શેઠાણીના હાથનો એક દાગીનો ભાંગી ગયો, એટલે તે ફરી ઘડવાની જરૂર પડી. શેઠે ફરી પાછો સોનીને બોલાવ્યો અને કહ્યું - જો મારી શેઠાણીના કંકણ છે બરાબર બનાવવાના છે. સોની-શેઠ સાહેબ સોનાના કે રૂપાના? શેઠ - અરે! રૂપાનાં તે હોય આ તો ઘરનું ધન છે અને મારી સ્ત્રી રૂપાનાં, ઢોળ ચઢાવેલાં ઘરેણાં પહેરે એમાં મારી શી આબરું રહે? સોનીની આંખ સામે રૂપાની બનાવેલી મૂર્તિ ખડી થઈ રહી. કલિકાલના પડતા ભાવોની સાક્ષી દેતી રહી.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy