________________
૪૯૫
बाहिरलिंगेण जुदो अब्भंतरलिंगरहियपरियम्मो । सो सगचरित्तभट्ठो मोक्खपहविणासगो साहू ॥ ६१ ॥ જે બાહ્યલિંગ યુક્ત, આંતરલિંગરહિત ક્રિયા કરે, તે 'સ્વકચરિતથી ભ્રષ્ટ, શિવમારગવિનાશક શ્રમણ છે. ૬૧.
૧. સ્વકચરિત = સ્વચારિત્ર.
सुहेण भाविदं गाणं दुहे जादे विणस्सदि । तम्हा जहाबलं जोई अप्पा दुक्खेहि भावए ।। ६२ ।।
'સુખસંગ ‘ભાવિત જ્ઞાન તો દુખકાળમાં લય થાય છે, તેથી 'યથાબળ "દુઃખ સહ ભાવો શ્રમણ નિજ આત્મને. ૬૨
૧. સુખસંગ = સુખ સહિત; શાતાના યોગમાં.
૨. ભાવિત = ભાવવામાં આવેલું.
૩. દુખકાળમાં = ઉપસર્ગાદિ દુઃખ આવી પડતાં.
૪. યથાબળ = શક્તિ પ્રમાણે.
૫. દુઃખ સહ = કાયકલેશાદિ સહિત.
आहारासणणिद्दाजयं च काऊण जिणवरमएण ।
झायव्वो णियअप्पा णाऊणं गुरुपसाएण ॥ ६३॥
'આસન-અશન-નિદ્રા તણો કરી વિજય, જિનવરમાર્ગથી ધ્યાતવ્ય છે નિજ આતમા, જાણી ‘શ્રીગુરુપરસાદથી. ૬૩.
૧. આસન-અશન-નિદ્રા તણો = આસનનો, આહારનો અને ઊંધનો.
૨. શ્રીગુરુપરસાદથી = ગુરુપ્રસાદથી; ગુરુકૃપાથી.
अप्पा चरित्तवंतो दंसणणाणेण संजुदो अप्पा | सो झायव्वो णिच्चं णाऊणं गुरुपसाएण ॥ ६४ ॥ છે આતમા સંયુક્ત દર્શન - જ્ઞાનથી, ચારિત્રથી, નિત્યે અહો ! ધ્યાતવ્ય તે, જાણી શ્રીગુરુપરસાદથી. ૬૪. दुक्खे ज्जइ अप्पा अप्पा णाऊण भावणा दुक्खं । भावियसहावपुरिसो विसयेसु विरज्जए दुक्खं ।। ६५ ।।