SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા સાચા મોતી-અક્ષતાદિથી થતા ઊર્મિભર્યાં વધામણાં, દરેક ચર્ચાસત્રોમાં ૧૮ ગચ્છાધિપતિઓ કે તેમના પ્રતિનિધિઓ સહિત કુલ ૭૫ આચાર્યભગવંતો અને છસો શ્રમણો દ્વારા શાસ્ત્રસાપેક્ષ ચર્ચા-વિચારણા, ફાગણ વદ ૧૧ ની ઉદ્ઘોષણા મહાસભામાં એક જ મંચ ઉપર સાતસો શ્રમણ ભગવંતોના અને અન્ય એક મંચ પર એક સાથે બે હજાર શ્રમણી ભગવંતોનાં પાવન દર્શન : આ તમામ ઐતિહાસિક ઘટનાને પ્રત્યક્ષ નિહાળનાર પુણ્યવાનો ખરેખર ધન્ય થઈ ગયા. જાણે પેલી પંક્તિનો સાક્ષાત્કાર થયો કે “તે દૃશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે...’’ ઉદ્ઘોષણા મહાસભાનાં માધ્યમે આ શ્રમણસંમેલનને પ્રત્યક્ષપણે કુલ ૨૦૦૦ શ્રમણ-શ્રમણીભગવંતો તથા ભારતભરમાંથી ઉપસ્થિત વિવિધ જૈન સંઘોના અગ્રણીઓયુક્ત સાત હજારથી વધુ તપાગચ્છીય શ્રાવક-શ્રાવિકાઓએ માણ્યું છે, તો ભારતભરમાં મળીને કુલ ૨૨૫ થી વધુ આચાર્યદેવો સહિત ૦૮૦૦ તપાગચ્છીય શ્રમણ-શ્રમણીભગવંતો અને હજારો જૈન સંઘો-લાખો જૈનોએ સહર્ષ વધાવી લીધું છે. આ પૂર્વે, અંતિમ સૈકામાં વિશાલ ફલકના શ્રમણસંમેલનો વિ.સં.૧૯૯૦, વિ.સં.૨૦૧૪ તથા વિ.સં.૨૦૪૪માં યોજાયા હતા અને તત્કાલીન શાસનધુરીણ સૂરિભગવંતોએ તેનાં માધ્યમે યથાશક્ય ઉત્તમ શાસનસેવા કરી હતી. પરંતુ એ એક નિર્વિવાદ હકીકત છે કે અંતિમ સૈકામાં યોજાયેલ તમામ શ્રમણસંમેલન કરતાં આ શ્રમણસંમેલન સંખ્યાની દૃષ્ટિએ સૌથી વિરાટ હતું. શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શ્રી સંવેગભાઈ લાલભાઈએ શ્રમણસંમેલનના પૂર્વદિનની સ્વાગતયાત્રામાં ઉપસ્થિત રહીને શુભેચ્છા વક્તવ્ય આપ્યું હતું, તો અંતિમ દિનની ઉદ્ઘોષણા મહાસભામાં પણ અર્થતિ ઉપસ્થિત રહીને અનુમોંદના વક્તવ્ય આપ્યું હતું. અંતે, પૂ.આ.ભગવંતો દ્વારા શ્રી સંઘ-શાસનના હિતમાં સળંગ આઠ દિવસ ગંભીરતાથી ચિંતન કરી જે ઠરાવો કર્યા છે તે ઠરાવના સુંદર અમલ દ્વારા સમસ્ત સંઘ સ્વઆરાધનામાં અને શાસનની સેવામાં ઉજમાળ બની મોક્ષમાર્ગ તરફ આગળ વધે એ જ અંતર-અભિલાષા. તપાગચ્છીય શ્રમણ સંમેલન નિયુક્ત શ્રાવક સમિતિ વતી શ્રેષ્ઠિવર્ય શ્રી સંવેગભાઈ લાલભાઈ, પં. શ્રી ધીરજલાલભાઈ મહેતા, પં. શ્રી વસંતભાઈ દોશી શ્રેષ્ઠિવર્ય શ્રી મુકેશભાઈ દોશી, શ્રેષ્ઠિવર્ય શ્રી ડૉ. સંજયભાઈ શાહ, પં. શ્રી કનુભાઈ દોશી શ્રેષ્ઠિવર્ય શ્રી નિરંજનભાઈ ચોકસીના સબહુમાન પ્રણામ ...વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન ૫
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy