SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પછી અંતરના ઉભાર મા શાસનપતિ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ પ્રવર્તાવેલ એકાંતહિતકર લોકોત્તર ધર્મશાસનને અવિચ્છિન્નપણે આપણા સુધી પહોંચાડવામાં સૌથી મહાન ઉપકાર હોય તો તે છે શ્રમણ સંઘનો. શાસનધુરીણ આચાર્યાદિ પૂજ્ય ભગવંતોનો એ શ્રમણ સંઘ સ્વઆરાધનાની સાથોસાથ પ્રભુશાસનની પ્રભાવનાનું અને રક્ષાનું કર્તવ્ય સન્નિષ્ઠપણે અદા કરતો રહે છે. એનાથી સમસ્ત ચતુર્વિધ શ્રીસંઘનું યોગક્ષેમ થતું હોય છે. પ્રભુશાસનની એ ઉજજવલ પરંપરા અનુસાર, સાંપ્રત પ્રભુશાસનના સૌથી વિરાટ તપાગચ્છીય શ્રમણ સંઘના અધિનાયક પૂ. આચાર્યભગવંતોની સર્વોચ્ચ પ્રવર સમિતિના ગુરુદેવો પૂ. તપાગચ્છાધિપતિ આ.ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા., પૂ. ગચ્છનાયક આ.ભ. શ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા., પૂ. ગચ્છાધિપતિ આ.ભ. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા., પૂ. ગચ્છાધિપતિ આ.ભ. શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા., પૂ. ગચ્છાધિપતિ આ.ભ. શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મ.સા.એ ચતુર્વિધ સંઘના યોગક્ષેમ માટે વિ.સં.૨૦૭૨ ના ફાગણ વદિ ૩ થી ૧૦ દરમ્યાન શ્રી સિદ્ધગિરિરાજની પુણ્યપનોતી છાયામાં, પાલિતાણા મધ્યે તપાગચ્છના સમસ્ત સમુદાયોનું વિરાટ શ્રમણ સંમેલન યોજવાનો નિર્ણય કર્યો અને તપાગચ્છના દરેક શ્રમણ સમુદાયોને આગોતરી જાણ સાથે આ અંગે આમન્ત્રણ આપ્યું. તે મુજબ, તપાગચ્છીય સમુદાયો પૈકી મહત્તમ ૧૮ સમુદાયોએ પૂરાષ્ટ્રસંત આ.ભ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા. તથા ગચ્છનાયક આ. શ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં અને પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા.ના સફળ સંચાલન હેઠળ આ શ્રમણસંમેલનના તમામ ચર્ચાસત્રોમાં ઉમંગથી ભાગ લઈને શાસ્ત્ર, શાસ્ત્રમાન્ય સુવિહિત પ્રાચીન પરંપરા અને દ્રવ્ય-ક્ષેત્રાદિ ભાવોને લક્ષ્યમાં રાખી ગહન મંથનપૂર્વક ૬૩ સર્વસંમત ઠરાવો કર્યા. શ્રમણસંમેલનના એ પુણ્યવંતા દિવસોમાં પાલિતાણાની પવિત્ર ભૂમિ મંદિરનગરીમૂર્તિનગરીની સાથોસાથ જાણે કે મુનિનગરી બની ગઈ હતી. સંમેલનના પૂર્વદિન ફાગણ વદિ બીજે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તરફથી યોજાયેલ શ્રમણ સંઘનાં શાનદાર સામૈયાં તથા શ્રી માણિભદ્રવીર-ક્ષેત્રપાલ પૂજન બાદ ગિરિરાજની જયતળેટીમાં વર્ધમાનશસ્તવપાઠયુક્ત મહાભિષેકવિધાન, શ્રમણસંમેલનના પ્રતિદિનના બન્ને ચર્ચાસત્રોમાં પૂજ્ય ગુરુભગવંતોના આગમન સમયે સ્વયંભૂ ઉલ્લાસથી સેંકડો પૂ. શ્રમણીભગવંતો દ્વારા “નયg શ્રમસિમેનમ'ના મંજુલમંગલનાદો, વિવિધ ગામ-નગરોમાંથી રોજેરોજ ઊમટતાં સેંકડો ૪ વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન...
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy