________________
શ્રમણસંમેલન નામ આપીને પ્રચાર કરે છે. શું આ “અમે જ તપાગચ્છ આવી મિથ્યા ભ્રમણાની દ્યોતક બાબત નથી? વિ.સં.૨૦૭૩ ના આ વર્ષના સંમેલન અંગે વાચક સ્વયં વિચારે કે સર્વ સમુદાયોને જેમાં આમંત્રણ અપાયું હોય અને ૧૮ સમુદાયોનું જેને સમર્થન હોય તેને “તપાગચ્છીય શ્રમણસંમેલન” કહેવાય કે ફક્ત ૩ સમુદાયોનું સમર્થન જેને હોય તેને “તપાગચ્છીય શ્રમણસંમેલન' કહેવાય?
અંતમાં એ જણાવવાનું કે તપાગચ્છીય શ્રમણ સંમેલનના પ્રણેતાઓએ આટલી ઉદારતા અને સમન્વયવૃત્તિ રાખ્યા બાદ પણ એ વર્ગે જાહેર અખબારમાં પ્રવરસમિતિ પર દોષારોપણ કર્યું ત્યારે, પ્રવરસમિતિએ ઉદાત્ત ગાંભીર્ય દાખવીને એ વાતનો ઉલ્લેખ વિના માત્ર શ્રમણસંમેલનની કાર્યવાહી સંબંધી જ અખબારી નિવેદન કર્યું. પરંતુ તેઓએ પોતાની ઠરાવપુસ્તિકામાં પુનઃ એ જ નિવેદન પ્રકાશિત કરવા ઉપરાંત એ પુસ્તિકામાં અન્યત્ર પણ દોષારોપણ કરતાં આ વાસ્તવિક હકીકતોની સ્પષ્ટતા કરવી પડી છે. આમાં કોઈને ય ઉતારી પાડવાનો કે કોઈનું મન દુભવવાનો લેશમાત્ર આશય નથી. આ નિવેદનના વાચન દ્વારા સહુ આરાધકો સત્ય સમજી તપાગચ્છની મુખ્ય ધારામાં રહેવા સાથે મોક્ષમાર્ગની આરાધનામાં આગેકદમ કરે એ જ અંતર-અભિલાષા...
000
બ0000
...વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન | ૯