SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ વિધભૂતિનો મારો પુત્ર વિશે જાણવામાં આવે સેળ ભવ વિશ્વભૂનિ મુનિરાજ કારણે પુપ લીધા સિવાય પાછું જવું પડયું. દાસીએ પાસેથી રાણી પ્રિયંગુને હકીકત જાણવામાં આવતાં “અરે! હું રાજાની રાણી, મારો પુત્ર વિશાખાનંદી પાટવીકુંવર, એમ છતાં વિશ્વભૂતિની ઉદ્યાનકડાના કારણે મારા એ પાટવીકુંવરને ઉદ્યાનની બહાર રહેવું પડે, તેમ જ મારી દાસીઓને પુ૫ લીધાં સિવાય પાછું આવવું પડે, એમાં મારી જબ્બર માનહાનિ છે આવા વિચારમાં ને વિચારમાં રેષે ચઢેલા રાણી રેષ ભવનમાં પહોંચી ગયા. રાજા વિશ્વનંદીને આ હકીક્ત જાણ વામાં આવતા વિશ્વભૂતિને ઉદ્યાનમાંથી ખસેડવા અને વિશાખાનદી તેમજ તેની માતા પ્રિયંગુરાણીને પ્રસન્ન કરવા રણસંગ્રામને સાચી રીતે પ્રસંગ ન હોવા છતાં કપટકળા વડે રણયાત્રાની ભેરી વગડાવી અને જાહેર કર્યું કે આપણા તાબાને પુરુષસિંહ નામને સામંત ઉદ્ધત બની ગયે છેપ્રજાને અનેક રીતે ત્રાસ આપે છે. માટે એની સાથે રણસંગ્રામ કરવા હું જાઉં છું.” ઉદ્યાનકડામાં આનંદ કરતા વિશ્વભૂતિને આ સમાચાર પ્રાપ્ત થતાં સરલ સ્વભાવવાળા વિશ્વભૂતિએ રાજાને વિનંતિ કરી કે “એવા સામંત સામે આપ જેવા સમર્થ રાજવીને યુદ્ધ માટે જવાનું કાંઈ પ્રયેાજન નથી. હું પતે ત્યાં જવા તૈયાર છું. અને આપના આશીર્વાદથી શીધ્રપણે તેને તાબામાં લઈ આપના ચરણમાં આવી પહોંચીશ” વિશ્વમૂતિનાં વિનમ્ર વચન શ્રવણ કરી રાજાએ અનુમતિ આપી. વિશ્વભૂતિએ પણ રીન્યના પરિવાર સાથે પુરૂષસિંહ સામંતને વશ કરવા તે તરફ પ્રયાણ કર્યું.
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy