SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ [શ્રી વિધવ'વિચારરત્નાકર આકાર ધરતાં તે સાકાર થાય છે, અને મર્યાદાવાળા જણાય છે. તમારામાં અને મારામાં પ્રતીત થયેલા પરમેશ્વર સાકાર છે. પ્રાણીમાત્ર પરમેશ્વરનાં સાકાર સ્વરૂપ છે. એ દ્વારાએ પરમેશ્વરનું નિરાકાર સ્વરૂપ સાકાર થયું છે. તમે અને મેં પોતાનાં શરીરદ્વારા એ નિરાકાર તત્ત્વસ્વરૂપ પરમાત્માને પ્રકટ થવાની યથેચ્છ અનુકૂલતા કરી આપી નથી માટે તમે અને હું મનુષ્યજેવા અને જીવજેવા રહ્યા છીએ. વિષ્ણુ, સ્ત્ર, અને બ્રહ્માનાં શરીર એ નિરાકાર તત્ત્વસ્વરૂપ પરમાત્માને પ્રકટ થવાને યથેચ્છ અનુકૂલતાવાળાં હેવાથી તે ઈશ્વર છે, અને ઈશ્વર મનાય છે. તમે અને હું, આપણા મૂલ કારણુસ્વરૂપ પરમાત્માને પ્રકટ થવાની યથેચ્છ અનુકૂલતા આપણાં શરીરદ્વારા રચી આપીએ તે તમે અને હું પણ ઈશ્વર જ છીએ. મહાપુરુષોએ વિવિધ સાધનોવર્ડ પોતાનુ સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર તથા કારણુ શરીર અત્યંત વિશુદ્ધ કરી પરમાત્માને પ્રકટ થવા માટે યથેચ્છ અનુકૂલતાવાળું રચી આપેલું હાવાથી તે પરમેશ્વરજેવા ગણાયા છે. અર્થાત્ તત્ત્વસ્વરૂપે પરમેશ્વર નિરાકાર છતાં, આ પ્રકારના વિચારથી સાકાર છે. પરમેશ્વરની પ્રતીતિ, પરમેશ્વરનું જ્ઞાન એ સ` સાકારવડે જ થાય છે. સાકાર એ નિરાકારને પ્રકટ થવાનું, અને આપણને જણાવાનું દ્વાર છે, માટે જે સાકારના નિષેધ કરે છે, તે પરમેશ્વરના વાસ્તવ સ્વરૂપને ન સમજીને જ નિષેધ કરે છે. નિરાકાર તત્ત્વસ્વરૂપ પરમાત્મા એ સવ સાકારાના મૂળ કારણ છે. એ સર્વ સામર્થ્યના મહાસાગર છે. એમાંથી સ સાકાર પોતપોતાને જોઈતું સામર્થ્ય પોતપોતાની શક્તિપ્રમાણે ખેચી લે છે. એ આપણા મૂળ કારણસાથે આપણા નિરંતર સબધ છે. તમે અને હુ એ પરમાત્માનાં જ સાકારરૂપેા છીએ. એ આપણા મૂળ કારણમાંથી જેટલું આપણે લઈએ, તેટલા આપણે બહાર પ્રતીતિમાં આવીએ છીએ. એછું લેનાર ઓછા સામર્થ્યવાળા થાય છે, વધારે લેનાર વધારે સામર્થ્યવાળા થાય છે. કૃષ્ણ અને રામ પોતાના આ મૂલ કારણને નિરંતર જાણતા હાવાથી તે યથેચ્છ ખી તેમાંથી પ્રાપ્ત કરતા, અને ઈશ્વરી સામર્થ્ય દર્શાવતા. આપણે, આપણા આ મૂલ કારણથી જાણે જુદા છીએ એમ માની બેઠા છીએ. આપણા સંશયથી, આપણી અશ્રદ્ધાથી, આપણા અજ્ઞાનથી, આપણા મૂલ કારણરૂપ મહાસાગરમાંથી આવતા પ્રવાહને આપણે રાખ્યો છે. અજ્ઞાનની આડી ભાથી સામર્થ્ય ના પ્રવાહ આપણા તરફ આવતો નથી. જ્ઞાનથી મુક્તિ થવાનું જે સત્શાસ્ત્ર કહે છે તે કેવળ સાચું છે. આપણું મૂળ કારણ અનંત, અપાર તથા સ` સામર્થ્યવાળું છે, એવું યધા જ્ઞાન થતાં આપણી મર્યાદાવાળી શક્તિનો મૂલ
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy