SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરત્નરાશિ ] ૧૬૩ શકતા નથી. આ કઈ કલ્પના નથી, અથવા અધશ્રદ્ધાથી ટોકી બેસાડેલા સિદ્ધાંત નથી, પરંતુ યથા શાસ્ત્રીય નિશ્ચય છે. ૩૧૩. તમારો ઇચ્છેલા વિષય તમને ન મળે ત્યારે ખેદને ધરતા મનને તત્કાળ તેમ કરતાં રોકો. વાણીઉપર એવા અંકુશ મૂકી દો કે કાઈ કાળે પણુ તે ગાયના ઉદ્ગાર ન કાઢે; કારણ કે સવ પ્રસંગેામાં અને સર્વ સમયેામાં સર્વાંત્તમ રહ્યા કરવાથી જ તમને વધારે સારાની અવશ્ય પ્રાપ્તિ થાય છે. ખેદને ઘરવાથી પદાર્થાંઉપરના આપણા અંકુશ આપણે ખેાઈ બેસીએ છીએ, અને તે અંકુશને પાછા પ્રાપ્ત કરવામાં ઘણા સમય જાય છે, અને ઘણા નવા પ્રયત્ન કરવા પડે છે. પરંતુ પૂના જેવા જ દૃઢ નિશ્ચયવાળા અને શ્રદ્ધાવાળા રહ્યા કરવાથી પૂર્વ ના કરતાં વસ્તુઓઉપર આપણને વધારે બળવાન અંકુશ પ્રાપ્ત થાય છે, અને આમ થતાં આપણે સિકંદર ફરવામાં માત્ર થોડો સમય જ વીતવાની પછી અગત્ય રહે છે. ૩૧૪, આ જગમાં વ્યવહારમાં આપણને જે જે વસ્તુ મળે છે, તે સ માટે આપણે મનુષ્યજાતિઉપર થોડા અથવા ઘણા આધાર રાખવો પડે છે. આથી જેના જેના સબંધમાં આપણે આવવાનું થાય તે સની સાથે યોગ્ય પ્રકારે સબધવાળા થવાની આપણને અત્યંત અગત્ય છે. જ્યારે લોકાસાથે આપણા સબંધ થાય ત્યારે આપણાથી બને તેટલું સર્વાંત્તમ વન આપણે તેમની સાથે ચલાવવુ જોઈએ, નહિ તે તેઓ આપણી સાથે સર્વાંત્તમ વન અવશ્ય નહિ જ લાવવાના. બીજાના આપણામાં વિશ્વાસ બેસે એવું વત'ન આપણે રાખવુ ોઇએ, અને આપણે આપણા સબંધમાં આવનાર પ્રત્યેક મનુષ્યને આપણી યાગ્યતા બતાવી આપવી જોઈએ; પરંતુ ઉદાસ, ઉગ્નિ અને દુઃખી ચહેરાથી ફરનાર મનુષ્યમાં કાઈ ના વિશ્વાસ બેસતા નથી, તે જ પ્રમાણે ‘આ કરતાં તે મને મેાત આવ્યું હોત તો સારું થાત ' એવા ભાવનાં વના મેલીને તથા વન કરીને સના ઉપર પોતાના ક’ટાળેા દર્શાવનાર મનુષ્ય બીજાને પોતાની યોગ્યતા દર્શાવી શકતા નથી. જગત્ શ્રદ્ધાવાળા, વિપત્તિથી દુખી ન જનારા, ઠેલા વિષય ન મળતાં લાંખું મુખ કરી ન રડનારા, અને જેમ પરાભવ મળે તેમ વધારે આગ્રહથી, ઉત્સાહથી અને દૃઢ નિશ્ચયથી પ્રયત્ન કરનારા મનુષ્યા જોઈએ છે; અને આવા જ મનુષ્યને તે પોતાની ઉત્તમ અને વહાલામાં વહાલી વસ્તુઓ પણ આપે છે. ૩૧૫. જે મનુષ્ય ખીજાના સમભાવથી અથવા ધ્યાથી અથવા કરુણાથી
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy