SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી વિશ્વવંધવિચારરત્નાકર વર્તાયલાં સાધનોનું પ્રયોજન સરખું હોય છે, તથા સ્વરૂપે ભિન્ન જેવાં ભાસતાં છતાં રહસ્યમાં તથા ક્રિયામાં ભેદવાળાં હતાં નથી. આ લેખમાં આજની પ્રજાને અનુકૂળ થઈ પડે, તેવી રીતે સાધનને વર્ણવવા પ્રયત્ન કરવા ઉદ્દેશ રાખ્યો છે. આથી એમ કહેવું નથી કે પૂર્વ પુએ વર્ણવેલાં સાધનનાં સ્વરૂપે પ્રજાને અનુકૂળ પડતાં નથી. જેમને તે અનુકૂળ ભાસતાં હોય તેમણે સુખેથી તેને સ્વીકાર કરવો. તેમને માટે આ ગ્રંથ નથી. પણ જેમને તે અનુકૂળ ન ભાસતાં હોય તેમને કર્તવ્યની કંઈક દિશા દર્શાવવા માટે આ ગ્રંથને ઉદ્દેશ છે. પૂર્વે કહ્યું તેમ સુચછક મનુષ્યમાંથી ઘણાને સુખ મેળવવા શું કરવું તે આજે સૂઝતું નથી. સુખના માર્ગમાં શરૂઆત ક્યાંથી કરવી, એકેક પગલું આગળ કેવી રીતે ભરવું, અને પરિણામે પહોંચવાના સ્થળે શી રીતે પહોંચવું, એની ઘણાને ગમ પડતી નથી. ગીતા વાંચે છે તે તેમાં તેમને વિરોધ જણાય છે, ભાગવત કંઈક જુદું જ કહેતું હોય એમ તેમને ભાસે છે, વેદાંતના જુદા જુદા ગ્રંથેમાંથી વળી ત્રીજે જ સિદ્ધાંત નીકળતું હોય એમ તેમને લાગે છે. કેઈ યોગની જરૂર કહે છે, કઈ કર્મોની જરૂર કહે છે, કેઈ ભક્તિવિના સઘળું નિષ્ફળ છે એમ કહે છે, કઈ કેવળ જ્ઞાનથી જ સુખને સંભવ સૂચવે છે, અને આ ડખામાં તેમનું ચિત્ત ડહોળાઈ જાય છે. વાયુપ્રકૃતિવાળા મનુષ્યને જેમ ચગડોળમાં બેસવાથી ફેર આવે છે, તેમ શાસ્ત્રોમાંથી સત્ય નિશ્ચયોને તથા કર્તવ્યને તારવી કાઢવામાં અસમર્થ મનુષ્યોને આ શાસ્ત્રો જોઈને તથા હજારે મનુષ્યની હજારે વાત સાંભળીને ભારે ભ્રાંતિ થાય છે. અને ઘણી વખતે તેઓની અભ્રષ્ટ તથા તતભ્રષ્ટ જેવી સ્થિતિ થાય છે. આવી કરણુજનક સ્થિતિમાંથી સુખને ઇચ્છનાર સરળ મનના મનુષ્યોને કાઢવાને અર્થે, તથા તેઓને સુખ મેળવવા માટે શું કરવું, તે દર્શાવવા માટે યુવનાં સરઢ સાધનો એ નામના કલ્યાણકારક તથા અપૂર્વ ફળને આપનારા ગ્રંથને આરંભ કરીએ છીએ. એમાં વર્ણવવામાં આવનાર સાધનને સમજણમાં આવેલાં બાળકે, યુવાન, વૃદ્ધો તથા સ્ત્રીઓ સર્વ એકસરખી રીતે ઉપયોગ કરી શકે એમ છે. એ સાધન એવાં નથી કે જેમાં શરીરનું બળ જોઈએ, કે લાંબી વિદ્યા જોઈએ કે પૈસા જોઈએ. સહેજ કેળવાયેલી બુદ્ધિ તથા સરળ અંતઃકરણએ બંને હોય તે બહુ છે. સરળ અંતઃકરણને અર્થ એવો નથી કે
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy