SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરત્નરાશિ ] ૧૨૫ તેના ઉપર પૂર્વના જેવા જ હોય છે; પરંતુ ‘તમને હવે મારું માં ગમતું નથી’ એવા પ્રતિકૂળ દ્યોતનનું વિષ નિત્ય જો તેના કાનમાં રેડ્યા કરવામાં આવે છે તે તેના પ્રેમઉપર તેની અસર થાય છે. તે ધીરે ધીરે ઓછે થવા માંડે છે. તે પુરુષની પોતાની પત્નીઉપર પ્રેમ કરવાની ઈચ્છા છતાં પણ તેના ઉપર તેને અભાવ ઊપજતા જાય છે, અને તેનું માં તેને ગમતું નથી. પતિને પણ સમજાતું નથી કે મારા પ્રેમ મારી પત્નીઉપરથી શાથી આછે. થઈ ગયા. ૨૧૦. પતિના સ્ત્રીસાથેના વનમાં, અથવા સ્ત્રીના પતિસાથેના વનમાં કાઈ તુચ્છ કારણને લીધે સહજ ફેર પડવાથી, આ પ્રકારનું પ્રતિકૂળ દ્યોતન કરવાથી ઘણાં સ્ત્રીપુરુષોના શુદ્ધ પ્રેમમાં વિચ્છેદ પડવાનાં અસંખ્ય દષ્ટાંતો વ્યવહારમાં મળી આવ્યા વિના રહેતાં નથી. ‘તારું ચિત્ત હમણાંનુ કાણુ જાણે કાનામાં ભમે છે' એવા પ્રતિકૂળ દ્યોતનથી ધણા પુષોએ પોતાની નિર્દોષ સદાચરણી સ્ત્રીને દુરાચારના માર્ગોના માહ લગાડ્યો હોય છે, તથા તે જ પ્રમાણે ‘હમણાંના તમે ધેર થાડું શાથી રહા છે, તેનુ કારણ હું જાણુ છુ...' એવાં માર્મિક વચને વદીને ઘણી સ્ત્રીઓએ પોતાના નિષ્કલંક સદ્ગુણી પતિને દુગુ ણુના પંથમાં પ્રેર્યાં હાય છે. ૨૧૧. જ્યારે મનુષ્યનું મન આડી દિશામાં વહેતું આપણને જણાય ત્યારે તે તરફ આપણે તેનુ ધ્યાન ખેંચવુ ન જોઈ એ. એમ કરવાર્થી તે આડી દિશામાં તેનું મન વધારે આગળ વહેવા માંડવાનુ; અને આપણા ધટીટ કારો નિત્ય ચાલ્યા કરે છે, તો જે ખાડામાંથી તે મનુ'યને ઉગારવાના આપણે પ્રયત્ન હાય છે, તે ખાડાના મધ્યમાં જ તે મનુષ્યને પડેલા આપણે જોઈએ છીએ. દ્યોતનના નિયમે નહિ જાણનાર મનુષ્યા આમ બને છે ત્યારે ધૂંવાપૂવા થઈ જાય છે. તેઓ તે આડે માગે જનારઉપર કઠોર વચનાના પ્રહાર કરે છે. તેઓને આશ્ચય થાય છે કે આટલી અ ટલી ચેતવણી આપવા છતાં પણ આ મનુષ્ય કેટલા દુષ્ટ છે કે જરા પણ સુધરતા નથી, પરંતુ તેને ભાન નથી કે તેનામાં પ્રકટેલી દુષ્ટતાનું કારણ તેઓ પોતે જ છે—તેઓનું પ્રતિકૂળ દ્યોતન છે. ૨૧૨. જે આડે માગે જતા હોય તેને ધક્કો મારવાની જરૂર નથી, પણ પાછા ખેલાવવાની—સન્માર્ગીમાં પાછા આણવાની—જરૂર છે. પ્રતિકૂળ દ્યોતન તેને ધક્કો મારીને આડા માર્ગોમાં વધારે દૂર કાઢે છે. અનુકૂળ દ્યોતન જ તેને સન્માગ માં પાછે સ્થાપે છે.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy