SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા અને કુરાન મંદિર અને મસ્જિદ વચ્ચેના ઝઘડા અંગે દાદુસાહેબ ફરમાવે છે? आप चिणावे देहुरा तिसका करहि जतन; परतखि परमेसुर किया सो भान जीव रतम. मसीत संवारी मानसों तिसकू करै सलाम; जैन आप पैदा किया सो ढावै मूसलमान. यहु मसीत यहु देहुरा सत गुरु दिया दिखाभि; भीतर सेवा बंदगी बाहर काहे जाअि. हौद हजूरी दिल ही भीतर गुस्ल हमारा सारं; अजू साज अलह के आगे तहां निमाज गुजारं. काया मसीत करि पंच जमाती, मन ही मुला सीमाम; आप अलेख अिलाही आगे सिजदा करे सलाम. જે મંદિરને હિંદુઓ પિતાને હાથે ચણે છે તેની તે ભારે સંભાળ રાખે છે, પણ માનવીનું કે પશુનું જે શરીર ખુદ ભગવાને બનાવ્યું છે તે મંદિરને તેઓ તોડી નાખે છે, એટલે કે મારી નાખે છે. આ રીતે મુસલમાન મનુષ્યની બનાવેલ મસ્જિદને આરાધ્ય ગણે છે અને ઈશ્વરે પિતે બનાવેલ ઈમારત એટલે કે પ્રાણીનું શરીર તેઓ જમીનદેત કરે છે. સાચા ગુરુએ અમને સમજાવ્યું છે કે માનવીનું આ શરીર એ જ મંદિર અને મસ્જિદ છે. આમાં બેસીને આપણે ઈશ્વરભજન કરી શકીએ છીએ, બહાર જવાની જરૂર નથી રહેતી. હૃદયમાં જ ઈશ્વરના અસ્તિત્વને હેજ ભરેલો છે એમાં આપણે સારી પેઠે સ્નાન કરી શકીએ છીએ અને ત્યાં જ શુદ્ધ થઈને પ્રભુની પ્રાર્થના કરી શકીએ છીએ. આપણું આ શરીર મસ્જિદ છે. આપણે પાંચે ઈન્દ્રિ
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy