SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ગીતા અને કુરાન સામે આવી ઊભાં રહ્યાં ત્યારે તેમાં પણ કૌરવ પાંડેની સેનામાં હતું તેમ બને પક્ષે એકમેકના ભાઈ, કાકા, મામા, સસરા તથા આપાસેના સગાસંબંધીઓ લડવા તૈયાર થયેલા દેખાયા. જે રીતે ગીતામાં અર્જુનનું હૃદય પિતાના સંબંધીઓને યુદ્ધમાં ઊભેલા જોઈને દ્રવી ગયું હતું અને અર્જુને એક વાર લડવાની પણ ના પાડી એ જ પ્રમાણે કુરાનમાં લડાઈની સંમતિ મળી ગયા પછી પણ કેટલાક મુસલમાને લડાઈથી અલગ રહેવા ઈચ્છતા હતા. ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશ દીધું હતું? “તારા હૃદયની આ દુર્બળતાને છોડીને ઊભો થા તથા યુદ્ધ કર. આ દુર્બળતા તને શોભતી નથી.” (૨-૩) ઉપર પ્રમાણે જ કુરાનમાં મુસલમાનોની કમજોરી તથા સંકેચને જોઈને આદેશ આપવામાં આવ્યું હતું ? તમને યુદ્ધની પરવાનગી આપવામાં આવી છે અને તેથી આમ કરવું ઠીક નથી લાગતું. સંભવ છે કે જે વાત તમને ઠીક ન લાગતી હોય તે તમારા હિતની નીવડે; અને જે તમને ભાવતી હોય તે તમારા અહિતની હોય. . . અને એવી તે શી વાત છે કે તમે અલ્લાહને પંથે ચાલનારાં અશક્ત અસહાય સ્ત્રીપુરુષ અને બાળકોના રક્ષણ માટે નહીં લડે, જેઓ એમ કહી રહ્યાં છે કે હે પાલણહાર ! અમને આ મક્કાથી બહાર કાઢ, અહીંના માનવીઓ અમારા ઉપર કેર વર્તાવે છે; અમને બચાવનાર તથા અમારી સહાયતા કરનાર મોકલ.” (બકરહ, ૨૧૬; નેસાય, ૭૫, ૭૬)
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy