SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ છે તેવા મારા પર અનેક પ્રકારે જોઈએ બીજે કશેય દુનિયાના સર્વ ધર્મો એક છે ગીતામાં કૌરવોને ધર્મભ્રષ્ટ તથા આતતાયી કહેવામાં આવ્યા છે (૧-૩૬). મનુસ્મૃતિ તથા બીજા ગ્રંથમાં આતતાયી શબ્દ એ લોકો માટે વપરાય છે કે જેઓ આગ લગાડે, ઝેર ખવડાવે, હત્યા કરે, લૂંટ ચલાવે અથવા એ રીતનાં બીજાં દુષ્ટ કૃત્ય આચરે. આ આતતાયીઓ માટે મોતની સજા ફરમાવવામાં આવી છે. મનુસ્મૃતિમાં લખવામાં આવ્યું છે: આતતાયી જે સામેથી આવતો હોય તો બીજે કશેય વિચાર કર્યા વિના તેને મારી નાખવો જોઈએ.” મુસલમાન ઉપર અનેક પ્રકારના જુલમો જેઓ કરતા હતા તેવા મક્કાના કુરેશ માટે કુરાનમાં “કાફિર શબ્દ ઠેકઠેકાણે વપરાય છે. એને શબ્દાર્થ છે “નગણે', કૃતની. મકાના આ “કાફિરો સાથે લડાઈ કરવાની પરવાનગી આપતી વેળા નીચેનાં ત્રણ કારણે આપવામાં આવ્યાં છે. (૧) મક્કાના એ ભાઈઓ કે જેઓ ઇસ્લામ પ્રત્યે ભક્તિ રાખે છે તેમને તેઓ જુદી જુદી રીતે સતાવતા હતા (નેસાય, ૭૪). (૨) એમણે ન્યાય વિરુદ્ધ મુસલમાનોને ઘરથી બહાર કાઢયા હતા કારણ કે મુસલમાને એક અલ્લાહ સિવાય બીજાં કઈ દેવદેવીની પૂજા કરવા ના પાડતા હતા (હજજ, ૪૦). (૩) એમણે કશાય કારણ વિના મદીના ઉપર ચડાઈ કરીને ત્યાંથી પણ મુસલમાનોને નિર્મૂળ કરવાનું ઈછયું હતું (હજ્જ, ૪૯). આ સંબંધમાં એક બીજી વાત ધ્યાનમાં રાખવા જેવી છે. જે વેળા મક્કાનાં તથા મદીનાનાં સૈન્ય એકબીજાની
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy