SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ગીતા અને કુરાન વિષે રહેલાં પંચમહાભૂતને, વળી અંતઃકરણમાં રહેલા મને પણ કષ્ટ આપે છે. આવાને આસુરી નિશ્ચયવાળા જાણ (૧૭-૫, ૬). જે કર્મો ફળની ઈચ્છારહિત માત્ર કર્તવ્ય સમજીને નિષ્પક્ષ ભાવે પરમ શ્રદ્ધાપૂર્વક, બદલાની ભાવના વિના કરવામાં આવે તે કર્મ સાત્ત્વિક કહેવાય. (૧૭-૧૧, ૧૭ થી ૨૦; ૧૮-૨૩થી ૨૬). જે કર્મો ફળના ઉદ્દેશથી તથા દંભથી સત્કાર, પૂજા અને માન અર્થે કરવામાં આવે છે તે કર્મો રાજસી કહેવાય છે” (૧૭– ૧૨, ૧૮, ૨૧; ૧૮-૨૪, ૨૭). “જે કર્મો વિધિરહિત, શ્રદ્ધાવિહીન, પરિણામે વિચાર્યા વિના, બીજાનાં લાભહાનિને વિવેક કર્યા વિના, દુરાગ્રહથી, અથવા પારકાને નાશને અર્થે, દેશ, કાળ, પાત્રને વિચાર કર્યા વિના, માન વગર અને તિરસ્કારવૃત્તિથી કરવામાં આવે છે તે તામસી કહેવાય છે” (૧૭–૧૩, ૧૯, ૨૨; ૧૮-૨૫, ૨૮). દેવ, બ્રાહ્મણ, ગુરુ, અને જ્ઞાનીની પૂજા, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા એ શારીરિક તપ કહેવાય છે. દુઃખ ન દે એવું, સત્ય, પ્રિય, હિતકર વચન અને ધર્મગ્રંથને અભ્યાસ એ વાચિક તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મસંયમ, ભાવનાશુદ્ધિ એ માનસિક તપ કહેવાય છે (૧૭– ૧૪ થી ૧૬). હે પાર્થ! જે યજ્ઞ, દાન, તપ કે બીજું કાર્ય શ્રદ્ધા વિના થાય છે તે અસત્ કહેવાય છે. તે નથી અહીંના કામનું કે નથી પરલેકના” (૧૭-૨૮). ગીતાજીના આ નાનકડા અધ્યાયમાં મનુષ્યનાં સર્વ કર્મોની તથા ભાવનાની અનુપમ કસોટી બતાવવામાં આવી છે. અઢાર અધ્યાય આ છેવટને અધ્યાય છે. તેમાં સાચા સંન્યાસની પિછાણ કરાવવામાં આવી છે.
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy