SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાધર્મ ૧૩૭ જન્મોજન્મ આસુરી યોનિને પામીને અને મને ન પામવાથી એ મૂઢ લે કે એથીયે વધારે અધમ ગતિને પામે છે.” (૧૬-૨૦). त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः काम क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् । (२१) “આત્માનો નાશ કરનારું આ ત્રેવડું ઠાર છેઃ કામ, ક્રોધ અને લેભ. તેથી એ ત્રણનો માણસે ત્યાગ કરવો. આ ત્રેવડા નરકઠારથી દૂર રહેનાર મનુષ્ય આત્માનું કલ્યાણ આચરે છે ને તેથી પરમગતિને પામે છે. જે મનુષ્ય શાસ્ત્રવિધિને છોડીને સ્વેચ્છાએ ભોગોમાં રાચે છે તે નથી સિદ્ધિ મેળવતો, નથી સુખ મેળવતે, નથી પરમ ગતિ મેળવતો. તેથી કાર્ય અને અકાર્યને નિર્ણય કરવામાં તારે શાસ્ત્રને પ્રમાણ માનવું; શાસ્ત્રવિધિ શું છે તે જાણીને અહીં તારે કર્મ કરવું યોગ્ય છે” (૧૬ – ૨૧ થી ૨૪). સત્તરમે અધ્યાય આ અધ્યાયમાં અને ફરી પૂછયું : “હે કૃષ્ણ! શાસ્ત્રવિધિ એટલે શિષ્ટાચારને ન ગણકારી જે કેવળ શ્રદ્ધાથી જ પૂજાદિ કરે છે તેની ગતિ કેવી થાય ? સાત્ત્વિક, રાજસી કે તામસી ?” (૧૭–૧) શ્રીકૃષ્ણ તેને ઉત્તર આપે છેઃ માણસને સ્વભાવથી જ ત્રણ પ્રકારની શ્રદ્ધા એટલે સાત્વિક, રાજસી અને વળી તામસી હોય છે. બધાની શ્રદ્ધા પિતાના સ્વભાવને અનુસરે છે, મનુષ્યને કંઈક ને કંઈક શ્રદ્ધા તે હોય જ; જેવી જેની શ્રદ્ધા તેવો તે થાય છે ૧૭–૨,૩). fભ અને અહંકારવાળા કામ અને રાગના બળથી પ્રેરાયેલા જે લેક શાસ્ત્રીય વિધિ વિનાનું ઘોર તપ કરે છે, તે મૂઢ લકે શરીરને
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy