SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ખાતરને પ્રશ્ન ૧૦૫ મેળવવું? જવાબ એ છે કે, શહેરના પોતાના કચરાને ચૂમસમાં રૂપાંતરિત કરો! જોકે આપણાં શહેરો પોતાનું ખાવાનું ગામડાંમાંથી મેળવે છે, પરંતુ શહેરોને કચરો કે મળ ગ્રામ-પ્રદેશનાં ખેતરોને પાછો મળતો નથી. આમ, શહેર ગ્રામ-પ્રદેશનાં શોષક બની રહ્યાં છે. એ વસ્તુ અટકવી જ જોઈએ. શહેરોને કચરો તથા મળ ખેતરોને પાછો મળવો જ જોઈએ. મ્યુનિસિપાલિટીઓ પોતાનાં શહેરોના કચરામાંથી મોટા પ્રમાણમાં હ્યુમસ યાર કરે, તે જ એ વસ્તુ શકય બને. પોતાના કચરાપેટીના કચરાને ઊંડા ખાડાઓમાં દાટી દેવાને બદલે કે ભઠ્ઠીઓમાં સળગાવી દેવાને બદલે એ બધા કચરાનું ગટરોમાં આવતા મળની મદદથી – મિશ્રણથી –કૉ પોસ્ટમાં રૂપાંતર કરવું જોઈએ. શહેરોની ગટરોમાં આવતા મળને શહેરોના કચરાનું કોપેસ્ટ તૈયાર કરવામાં ઉપયોગ કરવો હેય. તે બે રીતે થઈ શકે (૧) કાં તો ગટરોના મળને સીધો જ કામમાં લેવો, અથવા તેને ગાળી, ઘટ્ટ ભાગને સૂકવી તેને પાવડર તૈયાર કરવો અને બાકી રહેતા પ્રવાહીને કરાઈ નથી ચેપમુક્ત કરવું. જ્યાં ઢોર-ઢાંખનું છાણ પૂરતા પ્રમાણમાં મળી શકે તેમ હેતું નથી, ત્યાં શહેરોના કચરાનું કૉમ્પોસ્ટમાં રૂપાંતર કરવા, ગટરને મળ પૂરું કામ દઈ શકે છે. પાવડરના રૂપમાં મળ તૈયાર કર્યો હોય, તો વનસ્પતિનો કચરો સૂકો હોય તેનું વજન ગણી તેના ૧ ટકા જેટલો પેલો મળનો પાવડર તેની સાથે ભેળવવામાં આવે, તે સરસ કૉપેસ્ટ ઝટ તૈયાર થઈ શકે. શહેરોની નજીકના વાડીઓવાળાને કે બગીચાવાળાઓને પોતાના વનસ્પતિ-જ અવશેષોમાંથી કૉમ્પોસ્ટ તૈયાર કરવું હોય, તો એ પાવડર ઝટ હાથવગો થઈ શકે. ગટરમાંથી મળતે પ્રવાહી મળ પણ સીધો ઉપયોગમાં લઈ શકાય. તે માટે પ્રથમ છીછરા લાંબા ખાડા તૈયાર કરવા જોઈએ જેમાં ગાંસડી ના ઘાસનું કે કચરાપેટીના કચરાનું પડ પાથર્યા પછી તેને પેલા પ્રવાહી મળથી ભીંજવવું જોઈએ. એમ ઉપરાઉપરી ઘાસ-કચરાનાં અને
SR No.005919
Book TitleDharti Mata
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy