SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પૂછજો કે મુક્તિ કેમ પમાય? બંધનમાંથી છૂટાય કેમ? - પેલા શેઠે વિચાર કર્યોઃ “આવો વિચાર મને નથી આવતો અને પોપટને કેમ આવે છે?' . - શેઠને આજ સુધી ખબર નહોતી કે જેને વૃત્તિઓ જેલ જેવી લાગે છે, એમને જ છૂટવાનું મન થાય છે. જ્યારે કેટલાક ટેવાઈ ગયેલા લોકો તો દેહની કેદમાં રહેવામાં જ આનંદ માનતા હોય છે, એમને એ કેદ જ નથી લાગતી. પછી છૂટવાનો વિચાર આવે ક્યાંથી? . ' ભગવાન મહાવીર પોતાના રાજમહેલનાં વૈભવ અને સ્વજનોને છોડીને કેમ ચાલી નીકળ્યા? એટલા માટે જ, કે એમને લાગ્યું કે આ વૃત્તિઓની કેદ, બહુ આકરી વસ્તુ છે. એની જંજીરો બહુ કપરી હોય છે. એમાંથી છૂટવું એ જ માનવજીવનની અર્થ છે, અને જે હું છૂટો થઈશ તો બીજને પણ એ માર્ગ . બતાવી શકીશ. એટલે રાગદ્વેષની કપરી કેદમાંથી છૂટવા, એ દૂર દૂરના વનવગડામાં ગયા, અને દ્વેષ તેમ જ રાગની સાંકળોમાંથી છૂટવાની સાધના આદરી. પેલા પોપટે પૂછાવેલો પ્રશ્ન લઈને શેઠ તો વ્યાખ્યાનમાં ગયા. સભા બેઠી હતી. સૌ ધ્યાનથી સાંભળતા હતા. વ્યાખ્યાન પૂરું થયું એટલે પેલા શેઠે
SR No.005889
Book TitleBandhan ane Mukti
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1992
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy