SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના વિધિ - આ મદનું ધ્યાન ઉજ્જવલ વર્ષે કરવું. આ પદનું આરાધન કરવાથી મેરુપ્રભરાજા તીર્થકર થયા છે. કથા પૃષ્ઠ નં. ૧૩૪માં જુઓ. વિશમા પદની આરાધના કરીને જૈન તીર્થોની યાત્રા, શ્રી સંઘપૂજા, સ્વામિવાત્સલ્ય, તીર્થોદ્ધાર, રથયાત્રા, દીન દુઃખી અનાથાદિ સુખીકરણ વિગેરે કાર્યો કરીને જૈનશાસનની ઉન્નતિ કરવી, જૈનધર્મને દીપાવવો. આ વીશમું પદ શાસનને દીપાવવાના નિમિત્તનું છે. શાસનને આઠ પ્રભાવકો દીપાવે છે. તેથી વિદ્યા નિમિત્ત, કવિતા, વાદ અને ધર્મકથાદિ વડે શાસનની પ્રભાવના કરવી. તે વસમું પદ કહેવાય છે. તીર્થની પ્રભાવના કરવા વડે પ્રાણી અલબ્ધ-પૂર્વ એવો વૈભવ પામે છે અને દેવેન્દ્રને પૂજ્ય થાય છે. જેમ પૂર્વે દશારસિંહ, કૃષ્ણ અને શ્રેણિકરાજા થયા છે. ઉત્કૃષ્ટ ફલને પામ્યા છે. ઉપર પ્રમાણે વિશે પદની આરાધના કરીને પ્રાંતે યથાશક્તિ ઉજમણું કરવું, કે જે દેખીને અનેક જીવો ધર્મ પામે, આ પ્રમાણે ધર્મને દીપાવનાર થોડા કાળમાં પોતાના સર્વ કર્મો ખપાવીને મોક્ષ મહેલમાં બિરાજમાન થાય છે. અનંત સુખનું ભાજન પ્રાપ્ત થાય છે. શ્રી. શિયાળs (I૫ ઉજાણાની ગિવી . શક્તિ હોય તો ૨૦ નવા દેરાસર બંધાવવાં. ૨૦ જીર્ણોદ્ધાર કરાવવા, - શક્તિવાને નીચે જણાવેલી દરેક વસ્તુ ૨૦-૨૦ મૂકવી. '(!!ણા || | ||stી |રાયો દેરાસરને લગતા ઉપકરણો :- થાલ, રકાબી, વાટકી, સુખડના કકડા, કેસર-બરાસના પડીકાં, ઓરસિયા, નવા જિનબિંબ, વિશસ્થાનકના ગટ્ટા, સિદ્ધચક્રના ગઠ્ઠા, મોરપીંછી, થાલી, દીવી, ફાનસ, ધૂપણ, દંડાસણ, કલશ, કલશા, પ્યાલા, સિંહાસન, બાજોઠના ત્રિક, ઘંટ, ઝાલર, ઘંટડી, ત્રાંબાકુંડી આરતી, મંગલદીવો, પૂંઠીયા, ચંદરવા, તોરણ, ધોતિયાં, ઉત્તરાસણ, મુખકોષ,
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy