SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્રી વીશસ્થાનક તપ ૧૪ ચૌદમું લોકબિંદુસાર પૂર્વ બાર ક્રોડ ને પચાસ લાખ પદપ્રમાણ છે. તે ૮૧૯૨ હાથી જેટલાં મષીના ઢગલાથી લખી શકાય છે. કર્મગ્રંથના અભિપ્રાયે સાડા બાર લાખ પદપ્રમાણ છે. (તત્ત્વ કેવલીગમ્ય) તે છ આરા વિગેરે કાલનું સ્વરૂપ, અષ્ટ વ્યવહાર વિધિ, સર્વ વસ્તુના પરિકર્મ અને નિશેષ શ્રુતસંપદાથી ભરપૂર છે. આ ચૌદ પૂર્વ ૧૬, ૩૮૩ હાથી જેટલાં મષીના ઢગલાથી લખી શકાય છે. આ ચૌદ પૂર્વથી ચાર ગણો અધિકાર દ્રષ્ટિવાદના બીજા ભાગમાં છે, આ શ્રુતજલધિ સ્યાદ્વાદ શૈલીથી ભરેલો છે, તેમાં ૪ અનુયોગદ્વાર, ૭ મૂલ નય, તેના ૭OO ઉત્તરભેદ, પ્રમાણ દ્રવ્યપ્રમાણાંતર, અનેક નિપા અને સપ્તભંગી વિગેરેનું સ્વરૂપ બતાવેલું છે, એનું સ્વરૂપ કહેતા પાર આવે તેમ નથી. એ જૈનાગમ શ્રુતજલધિ ગુણરત્નોથી ભરેલો છે, તેમાં બતાવેલી આજ્ઞા અમારે પ્રમાણ છે. તે શ્રતને અમારી ત્રિકાલ વંદના હો. ૨૦ શ્રી તીર્થપદની આરાધleI વિધિ બાં • દુહો : તીર્થયાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ, પરમાનંદ વિલાસતા, જય જય તીર્થ જહાજ. સાથીયા - ૩૮ ખમાસમણ – ૩૮ કાઉસ્સગ્ગ - ૩૮ પદ : ૐ હ્રીં નમોતિન્દુરસ' - ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ સર્વથા પ્રાણાતિપાતવિરતિવંત શ્રી સાધુતીર્થગુણાય નમઃ ૨ સર્વથા મૃષાવાદવિરમણવંત શ્રી સાધુતીર્થગુણાય નમઃ | ૩ સર્વથા અદત્તાદાનવિરમણવંત શ્રી સાધુતીર્થગુણાય નમઃ ૪ સર્વથા મૈથુનત્યાગવંત શ્રી સાધુતીર્થગુણાય નમઃ ૫ સર્વથા પરિગ્રહત્યાગવંત શ્રી સાધુતીર્થગુણાય નમઃ ૬ સમસ્તપૃથ્વીકાયજીવરક્ષકાય શ્રી સાધુતીર્થગુણાય નમઃ ૭ સમસ્ટઅપ્લાયજીવરક્ષકાય શ્રી સાધુતીર્થગુણાય નમઃ
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy