SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વશરસ્થાનક તપ પદની ઓળી “ચોથ ભક્ત” એટલે કે ઉપવાસની આગળ પાછળ એકાસણું કરવું. ૧૫મી ગોયમ પદની ઓળી શક્તિ હોય તો જે તપ ચાલતું હોય તેથી વિશેષ તપ કરે. અર્થાત્ ઉપવાસવાળા છઠથી કરે. અથવા દરેક ઓળીના ૧૯. ઉપવાસ કરી ૨૦ મો છઠ કરવો. શાશ્વતી ઓળીના ચૈત્ર-આસો સુદ-૮-૯૧૦નો ઉપવાસ આ તપમાં કરવો નહીં. પૌષધપૂર્વક કરવામાં આવે તો વધુ ઉત્તમ, છેવટે-આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, સાધુ, ચારિત્ર, ગૌતમ અને તીર્થ પદોની આ ૭ ઓળીમાં પૌષધ કરવા જોઈએ. છેવટે દેશાવરાસિક પણ કરે. છેવટે ૧૭મી ઓળીમાં પૌષધ કરવા. સવાર સાંજ ઉભય ટંક પ્રતિક્રમણ, ૩ . ટાઈમ ત્રિકાળ દેવવંદન, પડિલેહણ, બ્રહ્મચર્ય, તપના દિવસે કાઉસ્સગ્ગ, ખમાસમણા, સાથીયા કરી તે તે પદની ૨૦-૨૦ માળાનો જાપ કર. પ્રભુપૂજા ભક્તિ નિયમિત કરવી, સુપાત્રે દાન દેવું, ૨૦ પદોનું ધ્યાન ધરવું અને “સવિ જીવ કરુ શાસન રસી'ની ભાવના ભાવવી. . જિનમંદિરમાં વિશસ્થાનક યંત્ર હોય તો તેની અષ્ટપ્રકારી પૂજા આદિ શક્તિ પ્રમાણે કરવી. (ન હોય તો સિદ્ધચક્ર યંત્રની આરાધના કરવી.) આ તપની પૂર્ણાહૂતિ પ્રસંગે ઉજમણું કરે, અને વિશસ્થાનક પૂજા-પૂજન ભણાવે, જિનશાસનની પ્રભાવનામાં વૃદ્ધિ કરે, તે ઉપરાંત જીવનના આચરણમાં પણ એ પદોનું સ્વરૂપ સમજીને ઉતારે, આથી તીર્થકર નામકર્મ બંધાય છે, અને તેના ઉદયે અરિહંત તીર્થકર બની શકાય છે.
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy