SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ કામું શા ખાણ પાણીથી સાફા, તા. [ ૨૯ ] આવી જાય, કે પાણીમાં ધુળ-રજ ઉડીને પડે, તેમજ શાક ભાજીમાં માટી ચૂંટેલી હોય, તેની સાવચેતી રાખવા છતાં આવી જાય, તે કાચી માટીની બાધાને ભંગ થતું નથી, છતાં તેની જયણા તે રાખવી. કાચું-સચિત્ત મીઠું શ્રાવકે વર્જવું અને અચિત્ત વાપરવું. પૃથ્વીમાંથી ખાણ ખોદી કાઢેલું, કોઈ પહાડના શીખરરૂપે મળેલું, અને સમુદ્રનાં પાણીથી આગરમાં જમાવેલું, એવું સર્વ પ્રકારનું વડાગરૂં ઘશીયું, ખારો, લાલ સિંધવ વગેરે અનેક ક્ષાર જેને અગ્નિશસ્ત્ર ન લાગ્યું હોય, ત્યાં સુધી તે “સચિત્ત” છે, તેવું સર્વ મીઠું દરેક જેનેએ શ્રદ્ધાથી તજવા યોગ્ય છે, ગૃહસ્થને જે અચિત્ત કરેલું વેચાતું ન મળે, તે ખ૫ જેટલું અચિત્ત કરાવે છે. ચડતા દાળ કે શાકમાં નાંખેલું–તે ચિત્તનું અચિત્ત થઈ જાય છે. પણ અથાણામાં, મસાલામાં, મુખવાસમાં અને અને ઔષધમાં અચિત્ત મીઠું હોય, તે તે વાપરી શકાશે. અણાહારીમાં ગણેલા સુરોખાર, સાજીખાર, ટંકણખાર અને ફટકડી તે અચિત્ત જ છે. અચિત્ત મીઠું જુદી જુદી રીતે થાય છે. એક તે માટીના વાસણમાં મીઠું ભરી ઉપર મજબુત પેક કરી કુંભારની અગર કંદોઈની ભઠ્ઠીમાં મુક + મીઠુ કુંભારને ત્યાં અચિત્ત કરવા માટે આપવાની પ્રવૃત્તિ ગુજરાતમાં પાટણ શહેરમાં છે, જે “કુમારપાલ મહારાજાના વખતથી ચાલી આવે છે” એમ કહેવાય છે. ત્યાં દાતણની ચીર પણ તૈયાર વેચાતી મળે છે. વળી. મીઠું પણ અચિત્ત મળે છે. જે અમ
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy