SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] ૧૩. ભૂમિકાય- (પૃથ્વીકાય)-સર્વ જાતની માટી, ખડી ભૂતડે (સરાકડે) ખારે, કાચું મીઠું, વિગેરે અભક્ષ્ય છે. કારણ કે તેમાં અસંખ્ય જીવ છે. માટી, મીઠું એમાં દેશનું પહેલું કારણ-પ્રત્યેક વનસ્પતિકાયમાં જેમ એક શરીરે (પાંદડા, કુલ, ફળ, બીજમાં) એકેક જીવ છે, પણ એક લીલાં આંબળા પ્રમાણ પૃથ્વીકાયમાં જેટલા જીવ છે, તે દરેક જીવ કબૂતરના જેવડું શરીર કરે; તે તેટલા જ આ લાખ જોજન ગેળાકૃતિવાળા જંબુદ્વીપમાં સમાય નહિ. એવી બહલી સંખ્યાના છતાં નાના શરીરવાળા હોય છે. તેને વિનાશ કરીને અલપ તૃપ્તિ લેવી, તેના કરતાં તેવી ચીજો તજી, તેવા સામટા જીવોને અભયદાન દેવું યોગ્ય છે. તે વિના આપણે મરી જવાના નથી. એ ચીજોને બદલે બીજી ઘણી અચેતન ચીજો મળી શકે છે. સુકા આંબળાં, કંકોડી, અરીઠાં, વિગેરે ચીજે નહાવા દેવામાં વાપરવા ઠીક છે. ગણિી સ્ત્રીને ભૂતડે ખાવાનું સૂઝે તે ગર્ભને વ્યાધિ, અને નુકશાનકારી તે થાય છે. પાપડ કે સાળવિયાં બનાવવા માટે ખારે વાપરવાને બદલે સાજીખાર ઉપયોગી છે ચાક, ચૂનો, ગેરુ, અચિત્ત હોવાથી તેને ઉપયોગ કરી શકાય છે. માટી ખાવાથી પેટમાં અસંખ્ય છની ઉત્પત્તિ થાય છે. તથા પાંડુરોગ, આમવાત, પિત્ત, પથરી પ્રમુખ રેગ થાય છે. તથા કેટલીક જાતની માટી, દેડકાં વિગેરે સંમૂછિમ જીવની નિરૂપ હોય છે, તેથી પણ તે અભક્ષ્ય છે. માટે તેને અવશ્ય ત્યાગ કરે પણ અનાજમાં કાંકરા ખાવામાં
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy