SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૯ ] દષ્ટિથી શું વાપરવું અને શું ન વાપરવું? એ જુદે પ્રશ્ન છે. પરંતુ ત્યાગ, અહિંસા, સંયમ અને તપની દષ્ટિથી શું વાપવું? શું ન વાપરવું? તેને અહિં વિચાર કરવાને છે. આરોગ્યની દ્રષ્ટિથી સુકવણાની વપરાશની ટીકા કરનારા બીજી અનારોગ્યકર અનેક વસ્તુઓ વાપરે છે અને પ્રવૃત્તિ પણ એવી અનેક કરે છે. તેને ત્યાગ કરતા નથી. એટલે આરોગ્યનું ન્હાનું આગળ કરીને તેઓને ઉદ્દેશ આપણાં પ્રચલિત ખાનપાનની શૈલીની ટીકા કરવાનું હોય છે. તેને ઉત્તેજન ન મળવું જોઈએ. બાકી દરેક કામ વિવેક રાખીને કરવામાં આગ્રહ હવે જોઈએ, તેમજ શાસ્ત્રકારે એ દુરાગ્રહ રાખવાનું કહેતા પણ નથી. પરંતુ ખોટા પ્રચારકના ખેટા પ્રચારને ટેકે ન મળે, તે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ત્યાગદષ્ટિ કરતાં સામાન્ય સભ્યતાની દૃષ્ટિથી પણ ન વાપરવા લાયક ચીજો અપવાદે રાગાદિક કારણે વાપરવી પડે છે. માટે જૈનેના સુકવણું વાપરવાના પ્રચાર સામેની ટીકાઓ વજુદ વગરની અને જૈનજીવનની મર્યાદાઓ અને સિદ્ધાંતે સમજ્યા વગરની છે. છતાં ચોમાસામાં સુકવણમાં નીલ-ફૂગ થવાને તથા ધુ વિગેરે સૂમ ત્રસજી ભરાઈ રહેવાને સંભવ છે. ઉનાળામાં પણ જે બરાબર સુરક્ષિત ન રાખવામાં આવે, તે તેમાં જતુઓ પડવા સંભવ છે. વળી વેપારીઓને ત્યાંથી સુકવણી લેવાથી હલકી ચીજો વાપરી હોય, વગર તપાસ્ય સુધારીસમારી હોય, વિગેરે હિંસાના દેશે વિનાકારણુ લાગવા સંભવ છે.
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy