SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ બાર ભાવનાઓ ૩૦૭ અને ભિન્ન ભિન્ન શરીરરૂપે અનંતાનંત રૂપી પુદગલોનો તેને આશ્રય લેવો પડ્યો છે, એ વગેરે વિચારવું. ૧૧. ધમની સુંદરતા-આ જગતમાં આત્માના અંતરંગ શત્રુને નાશ કરી ચૂકેલા શ્રી જિનેશ્વરદેએ જગતના હિત માટે ઉપદેશ દ્વારા “જૈનધમ” નામનો મહાન ધર્મ એવો પ્રસિદ્ધ કર્યો છે કે જે કોઈ આમા એને પોતાને બનાવે છે-ચિત્તમાં ધારણ કરે છે–તેને તે આ સંસારરૂપી મહાસમુદ્રમાંથી શીધ્ર પાર ઉતારી દે છે. ૧૨. બધિની દુલભતા-જન્મ-મરણ કરતાં કંઈ વાર જીવને મનુષ્યપણું, કર્મભૂ મિરૂપ આર્યક્ષેત્ર, આર્ય (ઉત્તમ) કુળ, સુંદર આરોગ્ય, દીર્ઘ આયુષ્ય, પાંચે ઈન્દ્રિની પૂર્ણતા અને પટુતા વગેરે એક એકથી દુર્લભ સામગ્રી મળી જવા છતાં ધર્મશ્રવણની ઈચ્છા થતી નથી અને તે થાય તે ધર્મોપદેશકનો યોગ થતો નથી, તે યોગ થાય તે પણ તેઓના વચન પ્રત્યેને વિશ્વાસ-સમકિત તો અતિ દુર્લભ છે. એમ છતાં કર્મનું જેર મંદ પડતાં, ભવિતવ્યતા અને કાળને પરિપાક થતાં, કદાચ સમકિત પણ પ્રગટે, તે પણ જડને મોહ-રાગ અને ઉન્માર્ગમાં ફસાઈ ગયેલા જીવને સંપત્તિઓ, પાંચે ઈન્દ્રિયોના વિષયોને રસ અને સુખશીલિયાપણું-એ ત્રણના મોહરૂપ ત્રણ ગારોના લીધે વિરતિ -જડની સેવાનો રાગ તજ-અતિ દુર્લભતર છે. કદાચ વિરતિરૂપ ધર્મરત્ન પણ મળી જાય, તોપણ
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy