SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ શ્રી શ્રમણાક્રયાનાં સૂત્રો-સાથ ચેથી અસત્યાઅમૃષા (વ્યવહાર) ભાષાના બાર ઉત્તરભેદે આ પ્રમાણે છે: ૧. આમત્રણ–આમત્રણ અર્થે હે દેવદત્ત ! ઈત્યાદિ બેલિવું તે, આ ભાષા સત્યા, અસત્યા અને મિશ્ર એ ત્રણેથી વિલક્ષણ હોવાથી સત્ય પણ નથી અને અસત્ય પણ નથી, માટે મિશ્ર પણ નથી, તેથી તેને “અસત્યા-અમૃષા”(વ્યવહારભાષા) સમજવી. ૨. આજ્ઞાપની-આજ્ઞાવચન, જેમ કે “આમ કરઈત્યાદિ. ૩. યાચની અમુક આપ” ઈત્યાદિ યાચના-વચન. ૪. પ્રચ્છની-અજાણ પણથી કે સંશયથી જાણનારને “આ શું છે? –ઇત્યાદિ પૂછવું તે. ૫. પ્રજ્ઞાપની-શિષ્યાદિને ઉપદેશ દે, જેમ કે ‘હિંસા નહિ કરવાથી આયુષ્ય દીર્ઘ થાય છે” વગેરે બોલવું તે. ૬. પ્રત્યાખ્યાની-વાચકને નિષેધ કરે વગેરે નકારવચન. ૭. ઈચ્છાનુવતિની-પૂછનારની ઈરછાને અનુસરતે જવાબ આપે વગેરે. ૮. અનભિગ્રહીતા-કઈ એક નિર્ણય વિનાનું વચન, જેમ કે કઈ પૂછે “અત્યારે શું કરું?” તેના જવાબમાં “જે જણાય તે કરે” વગેરે. ૯. અભિગૃહીતા-નિર્ણયાત્મક વચન, અમુક કામ કરવું, અમુક નહિ, ઇત્યાદિ. ૧૦. સંશયકરણ-અનેક અર્થો સમજાય તે શબ્દ બેલી સામાને સંશય ઉપજાવે તે. ૧૧. વ્યાકૃતાસ્પષ્ટાર્થ વચન, અને ૧૨. અવ્યાકૃતા-ગૂઢ અર્થવાળું અથવા અસ્પષ્ટ અક્ષરવાળું વચન. એમ ચાર ભાષાના ઉત્તર ભેદે કરે છે, તે સમજીને સત્યવ્રતના પાલન માટે પહેલી અને છેલ્લી ભાષાઓ બોલવી, અસત્ય અને મિશ્રને ત્યાગ કરે.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy