SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે કરે એમ બે ઉપવાસના ચાર ભક્ત અને આગળ પાછળ એકાસણું કરી એક એક ભક્ત છોડતાં કુલ છ ભક્તને ત્યાગ કરે. તે પણ પહેલા અહોરાત્ર પછી છઠ્ઠને તપ કરવાનું હોવાથી ત્રણ દિવસની સમજવી. છેલ્લા પારણાના એકાસણાને દિવસ પ્રતિમામાં ગણવે નહિ. - બારમી-એક રાત્રિકી પ્રતિમા ચાર દિવસે પૂર્ણ થાય, કારણ કે જે રાત્રિએ આ પ્રતિમાનું પાલન કરે, પાળે તે રાત્રી પછી લાગલે જ ત્રણ દિવસને અઠ્ઠમ તપ કરવાને હોય છે. એ પણ ગ્રામ-નગરાદિની બહાર આખી રાત્રી અનિમેષ નેત્રથી સિદ્ધશિલાની સામે (ઊંચી) દષ્ટિ રાખીને થાય છે. એમાં અવધિ આદિ કોઈ એક વિશિષ્ટ જ્ઞાન પ્રગટે છે. બાવીસ પરીષહે ૧. સુધા-ભૂખ લાગવા છતાં શક્તિવંત સાધુ એષણાસમિતિનું રક્ષણ કરે અને દીનતા કે વિહલતા વિના ગીતાર્થ એ સાધુ માત્ર સંયમ યાત્રાનું લક્ષ્ય રાખી ગોચરી માટે ફરે. ૨. પિપાસા-તૃષાતુર થયેલે પણ સાધુ વિહારમાં પણ તત્ત્વને જાણ, ગીતાર્થ, દીનતા વિના પંથ કાપે, કિન્તુ સચિત્ત કે શીતળ પાણીની વાંછા ન કરે, અચિત્ત અને નિર્દોષ પાણીની શોધ કરે. ૩. શીત-વસ્ત્રાદિ કે કામલી આદિથી રહિત પણ સાધુ શીતપરિષહને (ઠંડીને) સહન કરે, પણ અકથ્ય. વસ્ત્રને કે અગ્નિને ઉપયોગ કરવાની ઈચ્છા સરખી ન કરે.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy