SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા અને સચિત્ત અથવા અચિત્ત કાઈ પણ સ્વામિઅદત્તાદિ ચારે પ્રકારનું અદત્તાદાન જાવજીવ સુધી ત્રિવિધ ત્રિવિધ તજવું તે અચૌર્ય વ્રતનુ લક્ષણ સમજવુ, ચેાથા બ્રહ્મવ્રતનું લક્ષણ આ પ્રમાણે છે— दिव्यमानुषतैरथ-मैथुनेभ्यो निवर्त्तनम् । । त्रिविधं त्रिविधेनैव तद् ब्रह्मव्रतमीरितम् ॥ ६ ॥ ભાવા-દેવ, મનુષ્ય અને તિર્યંચનાં મૈથુનથી ત્રિવિધ ત્રિવિધે નિવૃત્ત થવુ. તેને બ્રહ્મચર્ય વ્રત કહ્યું છે. અર્થાત વૈક્રિય અને ઔદારિક કામભાગાને મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમાદવાના પણ ત્યાગ કરવા તે (૨×૩=૪૩=૧૮) અઢાર પ્રકારે બ્રહ્મચર્ય કહ્યુ છે. પાંચમા મહાવ્રતનુ લક્ષણ આ પ્રમાણે છે— परिग्रहस्य सर्वस्य सर्वथा परिवर्जनम् । आकिञ्चन्यत्रतं प्रोक्त-मर्हद्भिर्हितकाङ्क्षिभिः ॥७॥ '' ભાવાથ-સચિત્ત, અચિત્ત કે મિશ્ર પદાર્થોના અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના મૂર્છારૂપે ત્રિવિધ ત્રિવિધથી જાવજીવ પર્યન્ત ત્યાગ કરવા તેને, હિતેચ્છુ એવા અરિહતાએ અપરિગ્રહવ્રત કહ્યું છે, અર્થાત્ સંયમાપકારક પદાર્થ રાખવા છતાં તેમાં મમત્ત્વ નહિ કરવુ તે અપરિગ્રહવ્રત સમજવુ'. માટે જ મુનિઓને શરીરાદિ ધર્મોપકરણમાં મૂર્છાના અભાવે મુક્તિ થાય છે, તેવી રીતે સાધ્વીને પણ શાસ્ત્રોક્ત વજ્રપાત્રાદિ રાખવા છતાં મૂર્છાના અભાવે મુક્તિ થવામાં 4
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy