SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથે વિશિષ્ટ અવધિ આદિ જ્ઞાને અને અંતે આત્માને કેવળજ્ઞાનભાવ પ્રગટ કરે છે. “પરમાર્થ '-આ મહાવ્રતનું ઉચારણ એ સત્યપદાર્થ છે, (સત્ય તત્ત્વ) છે. “૩ામર્થ – મિક્ષરૂપી ફળનું સાધક હેવાથી અતિ શ્રેષ્ઠ પદાર્થ (તત્વ) છે, કારણ કે જગતના સર્વે પદાર્થો કરતાંય મહાવ્રતની પ્રધાનતા છે. વળી ‘’-(અહીં લિંગભેદ હોવાથી) આ મહાવ્રતનું ઉરચારણ તીર્થક પ્રવનસ્ય સારો રિાતઃ'-શ્રી તીર્થકરોએ સિદ્ધાન્તને સાર (આગમનું સર્વસ્વ) છે, એમ દર્શાવેલ છે. કેવા તીર્થકરેએ? “તિવાદેવમથતૈઃ –મેહનયકર્મના ઉદયજન્ય તથાવિધ આનંદરૂપ રતિ-ચિત્તને વિકાર તથા રાગ અને દ્વેષનું મંથન (નાશ) કરનારાઓએ પ્રવચનને સાર કહે છે. વળી એ તીર્થકર ભગવતે 'षड्जीवनिकायसंयमम् उपदिश्य त्रैलोक्यसत्कृतं स्थानं અગ્રુપતા –છ જીવનિકાયનું સંયમ એટલે અહિંસા અને ઉપલક્ષણથી સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-એ પાંચ મહાવ્રતને ઉપદેશ કરીને અને ઉપલક્ષણથી સ્વયં પણ પાલન કરીને ત્રણે લોકમાં સત્કાર પામેલા સિદ્ધિક્ષેત્રરૂપ મેક્ષસ્થાનને પામ્યા છે. આથી પણ મહાવ્રતનું અત્યંત ઉપાદેયપણું સૂચવ્યું. હવે મંગલને માટે આસન ઉપકારી ભગવાન મહાવીરની સ્તુતિ કરતાં જણાવે છે કે “નમોડસ્તુ તે – વદ્ધ. માનસ્વામિ! તમેને નમસ્કાર થાઓ ! કેવા તમે?
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy