SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા સોલંકી વંશનો સ્થાપક મૂળરાજ સોલંકી પ્રા. મુકુનદભાઇ પી. બ્રહ્મક્ષત્રિય વનરાજ ચાવડાની વંશાવળી એક અનુશ્રુતિ મુજબ વનરાજ, યોગરાજ, ક્ષેમરાજ, ભૂવડ, વૈરસિંહ, રત્નાદિત્ય અને સાતમો સામંતસિંહ એમ સાત રાજવીઓની છે. છેલ્લો રાજા સામંતસિંહ ખૂબ જ નબળો અને સદાકાળ દારૂના નશામાં જ રહેતો. વળી એ વહેમી પણ હતો. રાજ અને બીજ નામના બે ભાઇઓ ભગવાન સોમનાથની યાત્રા કરી પાછા વળતાં અણહિલપુર પાટણના પાદરે વિશ્રામ કરતા હતા ત્યાં ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ પોતાની ઘોડી ઉપર સવાર થઈ નીકળ્યો. અજ્ઞાતપણે એ રાજાએ ઘોડીને ચાબુક મારી. ચાબુકનો અવાજ બીજના કાને પડ્યો. બીજ પોતે અંધ હોવા છતાં ‘શાલીહોત્ર' નામનો અશ્વવિદ્યાનો ગ્રંથ ભણ્યો હતો. તે તુર્તજ બોલી ઉઠ્યો, “ખમ્મા ! ખમ્મા ! અસ્વાર તેં ચાબુક મારીને આ ઘોડીના પેટમાં જે પંચકણાથી વછેરો છે તેની ડાબી આંખ ફોડી નાખી.” રાજવી સામંતસિહે જવાબ આપ્યો કે, “જો તમારી વાત સાચી નીકળશે તો મારું અધું રાજ્ય આપીશ અને મારી બહેન લીલાવતી તમને પરણાવીશ.” પંદરેક દિવસ પછી ધોડીને પ્રસવ થયો. તેને પંચકલ્યાણી વછેરો અવતર્યો અને બીજના ભવિષ્ય કથન મુજબ વછેરાની ડાબી આંખ ફૂટેલી હતી. સામંતસિંહે અધું રાજ્ય તો ન આપ્યું પણ પોતાની બહેન લીલાવતીનું લગ્ન બીજના કહેવાથી તેના ભાઇ રાજ સાથે કરાવી આપ્યું. રાજ અને લીલાવતીના લગ્ન થયા કાળાન્તરે લીલાવતી ગર્ભવતી થઇ. પ્રસવ થતો નથી લીલાવતી મહાકષ્ટ પામવા લાગી. પરિણામે તેનું મરણ નજીક આવ્યું જાણી, ડાહ્યા માણસોએ વિચાર્યું કે, લીલાવતી મરશે તેની સાથે તેનો ગર્ભ પણ મરી જશે તેથી સર્વે લોકોએ નિશ્ચય કરી લીલાવતીનું પેટ ચીરી બાળક બચાવી લીધું. એ છોકરો હતો. તે મૂળ નક્ષત્રમાં જન્મેલો હોવાથી તેનું નામ “મૂળરાજ” પાડ્યું. આ એજ મૂળરાજ જેણે પુખ્ત વયનો થતાં પોતાના મામા સામંતસિંહને મારી પાટણની ગાદી કબજે કરી અને સોલંકીવંશની સ્થાપના કરી. મૂળરાજ સોલંકી એક બળવાન અને કુનેહબાજ રાજવી હતો. એક વખત સાંબેરનો રાજા સપાદલક્ષ મૂળરાજ સાથે યુધ્ધ કરવા ગુજરાતની હદ પર ચડી આવ્યો. બરાબર એજ વખત તૈલંગ દેશના રાજા તૈલિપનો સૂરો સેનાપતિ બારપ” પણ ગુજરાત ઉપર ચડી આવ્યો. બેઉ દેશના રાજાઓના લશ્કર સાથે એકી વખતે લડવું અતી મુશ્કેલ જણાતાં મૂળરાજે પોતાના પ્રધાનો સાથે વિચાર-વિમર્શ કર્યો. ચતુર પ્રધાને મૂળરાજને સલાહ આપી કે, હાલમાં રણસંગ્રામ સળગાવવો નહિ પણ કેટલાંક દિવસ કચ્છમાં કંથકોટના દુર્ગમ એવા કંથદુર્ગ નામના કિલ્લામાં જઈ નિર્ગમન કરવું વધારે સારું છે અને
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy