SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. યુગે યુગે પાટણની પ્રભુતા પ્રાતઃકાળે કર્ણદેવ રાજાના મનમાં એક ચંડાળ કન્યા ભોગવ્યા બદલ પશ્ચાતાપ થયો. એક રાજા થઇ અંધકારમાં ચાંડાલીની સાથે દેહસંબંધ કર્યા બદલ રાજા મનોમન ખૂબ દુઃખી થયો, મોટા મોટા શાસ્ત્રીઓ (પંડિતો) બોલાવી આ કુકર્મ કર્યાનું પ્રાયશ્ચિત પૂછયું. એક વિદ્વાન શાસ્ત્રીએ ધર્મશાસ્ત્રો ફેરવીને એક ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત શોધી આપ્યું કે, હે રાજન ! એ સ્ત્રીના વજન અને આકાર પ્રમાણે એક લોઢાની પ્રતિમા બનાવી, તેને તપાવી લાલચોળ તાંબા જેવી કરી તેની સાથે મૂળ સ્ત્રી સાથે જેટલા ભાવથી આલિંગન કર્યું હતું. તેટલા જ પ્રેમથી આ ધગધગતી પૂતળી સાથે આલિંગન કરો તો જ પાપથી મુક્ત થવાય.' - રાજા જાણતો હતો કે આ પ્રાયશ્ચિત તેના દેહાન્ત દંડ બરાબર જ છે, છતાં રાજા આ દેહાન્ત પ્રાયશ્ચિત કરવા તૈયાર થયો. રાજાના હુકમ મુજબ લોખંડની પ્રતિમા બનાવી તેને ધગધગતી આગમાં તપાવી લાલચોળ તાંબા જેવી પુતળીને રાજા જ્યાં આલિંગન આપવા જાય છે ત્યાં જ મુંજાલ મહેતા પોતાની સાથે મિનળદેવીને લઈને પ્રવેશ કરે છે અને સાચો વૃત્તાંત કહીને રાજા કર્ણદેવને બચાવી લે છે. મિનળદેવી પેલી અંગુઠી રાજાને બતાવી મુંજાલ મહેતાની વાતને પુષ્ટિ આપે છે. તે દિવસથી રાજા કર્ણદેવ અને રાણી મિનળદેવી વચ્ચે અપાર પ્રેમ થાય છે. સમય વિત્યે રાણીને પુત્ર પ્રસવ થાય છે જે સોલંકી વંશમાં સિદ્ધરાજ જયસિંહ તરીકે ઓળખાય છે. પ્રબંધ ચિંતામણીમાં જણાવ્યું છે કે, સંવત ૧૧૫૦ વર્ષે પોષ વદ-૩ શનૌ શ્રવણ નક્ષત્રે વૃષભ લગ્ને શ્રી સિદ્ધરાજસ્ય પટ્ટાભિષેક છે અર્થાત્ સંવત ૧૧૫૦ ના પોષ વદ-૭ ને શનિવાર શ્રવણ નક્ષત્ર અને વૃષભ લગ્નમાં શ્રી સિદ્ધરાનને ગાદી બેસાડ્યો. સિદ્ધરાજ એ વખતે બાળક હતો. - કદિવે કોચ્છરવા દેવીનો પ્રાસાદ બનાવ્યો. જયંતિ દેવીનો પ્રાસાદ.બનાવ્યો. કર્ણોધર નામનું દેવાલય બંધાવ્યું. કર્ણસાગર નામે સરોવર ખોદાવ્યું. તથા પાટણમાં કર્ણમેરૂ નામનો મહેલ કરાવ્યો. પ્રબંધ ચિંતામણીમાં જણાવ્યા મુજબ રાજા કર્ણદેવ ૪૯ વર્ષ, ૮ માસ અને ૨૧ દિવસ રાજ્ય કરી દેવલોક પામ્યા હતા. લીલા વૈદ્યની વાર્તા એક વખત રાજાને પોતાની ડોક દુઃખતી હતી, રાજાએ લીલા વૈધને તેડાવી ઉપાય પૂછયો, ત્યારે તેણે કહ્યું કે, બે પળ કસ્તુરીનો લેપ કરો.” રાજાએ કસ્તુરીનો લેપ કર્યો, રાજાની પીડા મટી ગઈ. ત્યાર પછી રાજાની પાલખી ઉચકનાર એક ભોઈને એ જ રોગનો ઉપાય લીલા વૈદ્યને પૂછયો, ત્યારે વૈધે કહ્યું, જુના કેરડાના ઝાડના મૂળનો રસ તેની મૃત્તિકા સહિત ચોપડવાથી રોગ મટી જશે.” ભોઇનો રોગ પણ મટી ગયો. ત્યારે રાજાએ પૂછયું, “આમ કેમ ? મને કસ્તુરીનું મોં ઔષઘ દેખાડયું અને ભોઇને જુદું
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy