SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭ યુગે યુગે પાટણની પ્રભુતા નિગપૂતોપાર્જિત સારસ્વતમાત્રનો અને પોતાના પિતા રાજિને મહારાજાધિરાજથી સંબોધે છે.' ગુજરાતના ચાવડા અને સોલંકીયુગીન (વાઘેલા સહિત) ઐતિહાસિક અને સાંસ્કૃતિક માહિતી પુરી પાડતા ગ્રંથો પૈકી નીચે દર્શાવેલ ગ્રંથો વિશેષ નોંધપાત્ર છે : કાવ્ય- મહાકાવ્ય : હેમચંદ્રાચાર્ય કૃત દયાશ્રય (સંસ્કૃત અને પ્રાકૃત), સોમેશ્વર કૃત તિકૌમુવી, બાલચન્દ્ર કૃત વસંતવિસ્તાર, રામચન્દ્ર કૃત મારવિહારશત, અરિહંત કૃત મૃતસંવર્ધન નાટકઃ બિલ્ડણકૃત ઈસુન્દરીનાટિકા, યશશ્ચંદ્ર કૃત મુદ્રિતમુવ, યશપાલ કૃત મોદ/ના/ના (ઇ.સ. ૧૧૭૪) પ્રશસ્તિ : શ્રીપાલ કૃત સર્જિા શક્તિ અને વડને પ્રતિ ઉદયપ્રભસૂરિ કૃત સુતર્તિ acત્તૌત્તિની પ્રબંધ સાહિત્ય મેરૂતુંગ કૃત પ્રબંધચિંતાની અને વિચારો, જિનપ્રભસુરિ કૃત વિવિઘતીર્થ (વિ.સં. ૧૩૬૪), પુરાતનપ્રવંધસંગ્રહ, પુરાણ : સરસ્વતીપુરાણ (૧૨મી સદી), થરા (૧૫ મી સદી) ચરિત્ર : સોમપ્રભચાર્ય કૃત કુમારપાનપ્રતિરોધ, પ્રભાચંદ્ર કૃત માવિત્ર, જયસિંહસૂરિ કૃત कुमारपालचरित ઉપર દર્શાવેલ ગ્રંથો ચાવડા અને સોલંકી રાજ્યવંશી સંબંધી વત્તા-ઓછા પ્રમાણમાં માહિતી પૂરી પાડે છે. ત્યારે સ્વાભાવિક રીતે જ બંને વંશોની રાજધાની રહેલ અણહિલવાડ પાટણ વિશે પણ યત્કિંચિત માહિતી આપે છે. આ બધા ગ્રંથોમાં પાટણ વિષયક અલંકૃત શૈલીમાં અઢળક માહિતી ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે પાટણમાં ચાવડા અને સોલંકી રાજવીઓ દ્વારા બંધાવવામાં આવેલ ધવલગૃહો-રાજમહેલો, ધર્મસ્થાનો પૈકી પ્રબંધચિંતામvમાં વનરાજ દ્વારા ધવલગૃહ, પાર્શ્વનાથની પ્રતિભાવાળું જૈનમંદિર, કંઠેશ્વરી મંદિર, ભુવડ દ્વારા ભુવડેશ્વર મંદિર, મૂળરાજ દ્વારા ત્રિપુરુષપ્રાસાદ, મૂલરાજવસહિકા મુંજાલદેવસ્વામીપ્રાસાદ, ચામુંડરાજ પ્રાસાદ, રાણી ઉદયમતી દ્વારા વાવ, કર્ણ દ્વારા કર્ણમેરુપ્રાસાદ બંધાયાનો ઉલ્લેખ છે. દયાશ્રયમાં સિધ્ધરાજ દ્વારા સહસ્ત્રલિંગ સરોવર અને તેના તટે સત્રશાળાઓ, શિવનાં મંદિર, દશાવતારનું મંદિર કીર્તિસ્તંભ અને કુમારપાળ દ્વારા સ્ફટિકમય પાર્શ્વનાથબિંબની સ્થાપના, પાર્શ્વનાથનું ચૈત્ય, કુમારપાલેશ્વર મંદિર અને કુમારવિહાર પાટણમાં બંધાવ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. સરસ્વતીપુરામાં સિધ્ધરાજ દ્વારા દુર્લભસભાને સજળ કર્યાનો અને તેના તટે દેવાલયો, વિઘામઠો વગેરે બાંધવા સંબંધી વિસ્તૃત વર્ણન છે. રામચન્દ્રસૂરિએ ફુમારવિહારતમાં કુમારપાળ દ્વારા બંધાવવામાં આવેલ કલાત્મક જૈનચૈત્યની સુરેખ ઝલક પૂરી પાડી છે. પરંતુ, અહીં વર્ણવાયેલ પાટણ કવિકલ્પનાનું કેટલું ? અને વાસ્તવિક કેટલું ? આ એક
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy