SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ભૂવડે પંચાસર ઉપર ચડાઇ કરી. જયશિખરીના પડખે તેનો સાળો સુરપાળ હતો. સુરપાળે જોરદાર યુદ્ધ ખેલ્યું ભૂવડના લશ્કરને પાછું પડવું પડ્યું. પણ પછી તો ભૂવડે જાતે જે લશ્કરની આગેવાની લીધી. ખૂનખાર યુદ્ધ થયું. ભૂવડે પ્રતિજ્ઞા કરી કે, “જયશિખરીને હરાવી પંચાસર જીતીશ ત્યારે જ પાછો ફરીશ.'’ ७ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મે ગુજરાતના લોકોને નબળા કરી નાખ્યા હતા. મોટા મોટા યૌદ્ધા સંસાર ત્યાગ કરી સાધુ થઇ ગયા હતા. ભૂવડના સેનાપતિ મીરે સુરપાળને ગુજરાતની ગાદી આપવાની લાલચ આપી ફોડવાનો પ્રયત્ન કર્યો પણ સુરપાળે મચક ન આપી અને તે વધુ છંછેડાયો. શીર પડયું, ધડ લડ્યું ઃ ભૂવડ અને જયશિખરી વચ્ચે ખૂનખાર યુદ્ધ થયું. બાવન દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. એવી લોકવાયકા છે કે, ભૂવડના હાથે જયશિખરીનો રણ મેદાનમાં શિરચ્છેડ થયો, તે વખત શિર પડયું છતાં ધડના હામાં તલવાર રહી ગઇ હોવાથી માથા વગરના ધડે અનેક સૈનિકોને કાપી નાખ્યા હતા. આ વાત ભલે ન માનીએ પરંતુ જયશિખરી એક બાહોશ નરબંકો હતો એમાં શંકા નથી. જયશિખરીની પત્ની રૂપસુંદરી સગર્ભા હતી. સુરપાળ પોતાની બહેન રૂપસુંદરીને લઇ સલામત સ્થળે લઇ ગયો. વનમાં જ રૂપસુંદરીને પુત્ર અવતર્યો જે ‘વનરાજ’ કહેવાયો. ભવિષ્યવાણી : ‘‘પ્રબંધ ચિંતામણી’’ માં ઉલ્લેખ છે કે, પંચાસર ગામમાં ચાપોત્કટ વંશના એક બાળકને ઝાડ ઉપર ઝોળીમાં ઝુલતો રાખી તેની માતા લાકડાં વીણતી હતી. તેવામાં જૈનાચાર્ય શીલગુણસુરી ત્યાં આવી ચડડ્યા બાળકને જેયો, બાળકના મુખ ઉપરથી બપોરના સમયે પણ ઝાડની છાયા ખસતી નથી. (છાયા ન ખસવાની વાત સુકૃતકીર્તિ કિલ્લોલિનીમાં પણ છે.) તેમને બાળક પ્રભાવશાળી જણાયો. શીલગુણસુરીએ માતા અને બાળકને પોતાની દેખરેખમાં રાખી ઉછેરવા લાગ્યા. તેમણે ભવિષ્ય ભાખ્યું કે, “આ બાળક ભવિષ્યમાં રાજા થશે અને જૈન ધર્મનો પ્રભાવક થશે.'' આ બાળકનું નામ ‘વનરાજ’ તેમણે જ પાડયું. વનરાજનું જન્મ વર્ષ વિક્રમ સંવત ૭૫૨ ગણાય છે. જન્મના વર્ષ બાબતોમાં વિદ્વાનોમાં મતભેદ છે. મોઢ પુરાણમાં એવું વર્ણન છે કે, વનરાજને ધર્મારણ્યમાં રહેતા મોઢ બ્રાહ્મણોએ ઉછેર્યો હતો. વનરાજ એક લુંટારો : પુખ્ત ઉંમરનો થતાં વનરાજે ટોળકી જમાવી નાની-મોટી ધાડો પાડયા માંડી અને ધાડોમાંથી દ્વવ્ય એકઠું કરવા લાગ્યો. ચાવડાઓની છાપ લૂંટારા તરીકે જ છે. શ્રીદેવીનો પ્રસંગ : એક વખત વનરાજે કાકરગામ નામના ગામમાં એક વહેપારીને ત્યાં ચોરી કરવા જતાં ત્યાંના દહીંના વાસણમાં હાથ પડયો વનરાજે માન્યું કે આ તો આ ઘરે જમ્યા બરાબર ગણાય. હવે આ ઘરમાં
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy