SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૦૬ ૩૮) સિદ્ધરાજના કીર્તિસ્થંભ ઉપરનો પ્રશસ્તિ લેખા પ્રા. મુફદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય સુકૃત સંકીર્તન” નામના ગ્રંથમાં અણહિલપુર પાટણનું વર્ણન ખૂબ જ રોચક ભાષામાં કરવામાં આવ્યું છે. તેમાં સિદ્ધરાજે બંધાવેલ “કીર્તિસ્તંભ'નો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કીર્તિસ્તંભની ઉંચાઇ કેટલી હશે? લેખક જણાવે છે કે, “કીર્તિસ્તંભ ઉપર ગગનસિંધુનાં પક્ષીઓ વિશ્રામ કરતા હતા.” ગુર્જરેશ્વર, પુરોહિત, શ્રી સોમેશ્વરદેવ પોતાના “કીર્તિકૌમુદી” કાવ્યમાં સર્ગ-૧માં શ્લોક ૪૮ થી ૮૧માં પાટણનું જે હૃદયંગમ ચિત્ર આલેખ્યું છે, તેમાં બ્લોક નં. ૭પમાં સહસ્ત્રલિંગ સરોવરના તટે કીર્તિસ્તંભનું વર્ણન આપેલું છે. શ્રી સોમેશ્વરદેવ તેમાં જણાવે છે કે “આકાશ ગંગામાંથી પડતા ચાંદીના પ્રવાહ જેવો આ કીર્તિસ્તંભ તળાવના તટે શોભી રહ્યો છે.” કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ રચેલ દયાશ્રય નામના સંસ્કૃત મહાકાવ્યના સર્ગ ૧૬માં શ્લોક નં. ૧૨૨માં જણાવે છે કે, સિદ્ધરાજે પોતાના મહાન કીર્તિસ્તંભ જેવા દેવઘર બનાવ્યાં. આ રીતે કીર્તિસ્તંભ સિદ્ધરાજ જયસિંહે બનાવેલો અને તે પણ સહસ્ત્રલિંગ સરોવર તટે જ એવા ઉલ્લેખો અનેક જગ્યાએ મળે છે. આ કીર્તિસ્તંભ ઉપર સિદ્ધરાજની પ્રશંસા કરતો શિલાલેખ કે જે “સહસલિંગ પ્રશસ્તિ” બે નામે જાણીતો છે કે કવિશ્રી શ્રીપાલે પ્રશસ્તિ રચી હતી. વિકમ સંવત ૧૧૯૨માં સિદ્ધરાજે અવંતિનો કિલ્લો તોડી માળવા ઉપર મહાન વિજય મેળવ્યો અને માળવાના રાજા યશોવર્માને બંદીવાન બનાવી પાટણ લાવ્યો એ સિદ્ધરાજના જીવનનું સર્વશ્રેષ્ઠ કાર્ય હતું. પાટણ અને માળવા વચ્ચે પરાપૂર્વથી વૈર ચાલ્યાં આવતા હતાં. તેઓ એકબીજાની સ્પર્ધા અને લાભ માટે ચડાઈઓ કરતાં વિક્રમ સંવત ૧૧૮૭માં સિદ્ધરાજે માળવાના યશોવર્મા ઉપર ચડાઈ કરી તેની રાજધાનીને ઘેરો ઘાલ્યો. પાંચ પાંચ વર્ષ સુધી અવિરત યુદ્ધ ચાલ્યું. આખરે આ રીતે માળવાનો વિજય સિદ્ધરાજના જીવનનું એક યશસ્વી કાર્ય બન્યું. માળવાના વિજયને કાયમી બનાવવા અને તેને યાદગીરી રૂપે જ સિદ્ધરાજે સહસ્ત્રલિંગ સરોવરના તટ ઉપર આ મહાન કીર્તિસ્તંભ બનાવેલો અને આ સ્તંભ ઉપર કવિ શ્રીપાલ પાસે પ્રશિસ્ત લખાવી હતી. કવિવર શ્રીપાલ સિદ્ધરાજની સભાનો મહાપંડિત હતો. જયસિંહનો એ બંધુ ગણાતો. એની અભૂત કવિત્વ શકિત જોઈ સિદ્ધરાજે એને “કવિચક્રવતી'નું બિરૂદ આપેલું. એણે સહસ્ત્રલિંગ અને રૂદ્રમાળની પ્રશસ્તિઓ રચેલી છે. આ ઉપરાંત એણે “વિશમન પરાજય” નાટક પણ લખેલું છે. કવિ શ્રીપાલ કુમારપાળના સમયમાં પણ વિદ્યમાન હતો. કોઇ કોઇ વખતે તે કુમારપાળને વ્યાખ્યાન સંભળાવતો. એ કુમારપાળે એને “પદ્મભાષા કવિચક્રવતી' કહ્યો છે. એનો પુત્ર સિદ્ધપાલ પણ,
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy