SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ તૃતીયઃ પલ્લવઃ ઊભા થઈને તે બીડું ગ્રહણ કર્યું અને તેણે કહ્યું કે– “હું એનો સુવર્ણપુરુષ મેળવી આપીશ.” તે વખતે સભાજનો વિસ્મય પામીને વિચારવા લાગ્યા કે–“આ કુમાર આનો સુવર્ણપુરુષ કેવી રીતે • મેળવી આપશે ?” ત્યાર પછી ધર્મદત્ત અને ચંદ્રયશા બંને રાજસભામાંથી તે કાર્ય કરવા માટે તરત જ ચાલ્યા. વનમાં જઈને રાજપુત્રે કાંઈક વિલંબ પામવા માટે ધર્મદત્તને કહ્યું કે–દેવે, દાનવ,ખેચરે કે મનુષ્ય જેણે એ સુવર્ણપુરુષનું હરણ કર્યું છે તેની જાણ જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી ઘણા પ્રયત્ન કરવા છતાં પણ તે વસ્તુ મળી શકે નહી. તેથી આજે રાત્રે આ વનમાં ગુપ્ત રીતે રહીએ અને કાંઈક હકીકતનું સ્વરૂપ જાણ્યા પછી કાર્યને સાધીએ.” આ પ્રમાણે પરસ્પર વિચાર કરીને તે બંને રાક્ષસ વગેરેનો ભય હોવા છતાં પણ ત્યાં સ્મશાનભૂમિમાં ધૈર્યનું અવલંબન કરીને રાત્રિના પ્રારંભમાં બેઠા. થોડીવારમાં ધર્મદત્ત તો નિદ્રાવશ થઈ ગયો. રાજપુત્ર જાગતો હતો તેણે મધ્યરાત્રે ત્યાં દૂરથી દિવ્ય વાજીંત્ર અને ગાયન વગેરેનો સ્વર સાંભળ્યો એટલે ધર્મદત્તને ત્યાં જ સૂતો મૂકીને કૌતુકથી તે પગલે પગલે નિશાની રાખતો જે બાજુથી સ્વર આવતો હતો તે તરફ ચાલ્યો. દૂર જતાં તેણે એક દેવવિમાન જેવું યક્ષનું ભુવન જોયું. તેના દ્વાર બંધ કરેલા હતા. તેના વિવરમાંથી તેણે અંદર જોયું તો ત્યાં ૧૦૮ દેવકન્યાઓને નૃત્ય કરતી જોઈ. તેમાં એક મનુષ્યની અતિ રૂપવંત સ્ત્રી જોઈ. એક મુહૂર્ત સુધી તે કુતૂહલ જોઈને રાજપુત્ર પાછો વળ્યો અને ધર્મદત્ત પાસે આવીને તેને જગાડ્યો. પછી રાજકુમારે તેને પૂછ્યું કે :–ો મિત્ર તે હમણાં સુતા સુતા કંઈક સાંભળ્યું? ધર્મદત્ત કંઈક સ્મિત કરીને બોલ્યો કે “શિયાળ, સર્પ, શાર્દૂલ, ઘુવડ અને ભૂંડો તથા ગુંડાઓના તેમજ પિશાચ, ભૂત અને પ્રેતોના શબ્દો પુષ્કળ સાંભળ્યા છે. બીજું કાંઈ સાંભળ્યું નથી.” ત્યારે રાજપુત્રે કંઈક હસીને પોતે જોયેલા નૃત્યાદિની વાત કરી અને તેમાં પોતે જોયેલી દિવ્ય રૂપવાળી મનુષ્યસ્ત્રીની નિશાની સાથે વાત કરી. તે સાંભળીને ધર્મદત્તે કહ્યું કે- તેજ મારી પ્રિયા જણાય છે, માટે શીઘ ચાલો, ત્યાં જઈને તેને જોઈએ.” આ પ્રમાણે વિચારી તેઓ ઉતાવળથી તે યક્ષમંદિર પાસે ગયાં પણ ત્યાં તો નૃત્ય બંધ થયેલું હતું, તેથી તે સુંદર દેખાઈ નહીં. તેથી પશ્ચાત્તાપ કરતા ને હાથ ઘસતા ધર્મદત્તે રાજપુત્રને કહ્યું કે–“હે મિત્ર ! તે સ્ત્રી કેટલી ઊંચી હતી ? કેવા વર્ષની હતી? કેટલા વર્ષની લાગતી હતી ? રાજપુત્રે તેણે પોતે જોયું હતું એવું યથાર્થ સ્વરૂપ કહ્યું. તે સાંભળીને ધર્મદત્ત બોલ્યો કે– મિત્ર ! મારે સુવર્ણપુરુષ સાથે કાંઈ કામ નથી. તું કોઈ પણ રીતે તે મારી સ્ત્રીને મેળવી આપ, એટલે તે મને જીવિત આપ્યું એમ સમજીશ અને મને સર્વસ્વ મળ્યું એમ માનીશ.” પછી પ્રભાતે યક્ષભુવનના દ્વાર ઉઘડ્યા એટલે રાજકુમારે પોતાની શક્તિ બતાવવાનો પ્રારંભ કર્યો. ચારે આહારનો ત્યાગ કરી, રંગરાગ છોડીને, નિઃસ્પૃહપણે, નિરહંકારપણે, થતીંદ્રની જેમ એકાગ્ર મન કરીને દર્ભના સંથારા પર નિશ્ચલ થઈને તે યક્ષના ભુવનમાં બેઠો. કહ્યું છે કે “એકચિત્તે કાર્ય કરવાથી તે સિદ્ધ થાય છે, ચિત્તનું ક્રિયાપણું હોય તો કાર્ય નાશ પામે છે. જેના ચિત્તની સુદઢતા હોય છે તેનું કયું કર્યું કાર્ય સિદ્ધ થતું નથી ? એક ચિત્તે સેવન કરવાથી - સર્વ પ્રસન્ન થાય છે. જુઓ ! દારિયની ભક્તિ કરીને પણ રાજપાળ લક્ષ્મીનું સ્થાન નથી થયો? થયો છે તેનું દષ્ટાંત આ પ્રમાણે છે.
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy