SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પલ્લવઃ ચંદ્ર આલ્હાદકતાને, સૂર્ય પ્રતાપને, સમુદ્ર ગાંભીર્યને, મેરુ ઉત્તુંગતાને, હિમગિરિ શિતળતાને, અનલ તેજને, ધનદ ઐશ્વર્યપણાને, મુનિ સમભાવને અને ધરા સર્વસહનપણાને નહીં છોડવા છતાં જેનું નિરંતર માંગલિક કરે છે એવો રાજા જયવંતા વર્તો.” આ પ્રમાણે આશિષ આપીને ધર્મદત્તે રાજાને કહ્યું કે-“હે સ્વામિન્! મને કાંઈક ઉત્તર આપો.' સર્વ કથાને સાંભળીને રાજા બોલ્યો કે-“હે મહાભાગ ! તારી વસ્તુ મળે એવો કોઈ ઉપાય મને સૂજતો નથી, તારો સુવર્ણપુરુષ કોણે લીધો હશે તે કાંઈ સમજાતું નથી, તેથી હું તને શું ઉત્તર આપું? માટે હે ધર્મદત્ત ! તું મારી પાસેથી લાખ ક્રોડ ગમે તેટલી કિંમતનું સુવર્ણ માંગી લે, તે તને રાજભંડારમાંથી અપાવું કે જેથી મારી અપકીર્તિ ન થાય અને ક્યારેય જો તારો સુવર્ણપુરુષ મળશે તો તે તને જ અપાવીશ અને સ્વસ્થ કરીશ.” રાજાના આ પ્રમાણેના વચનો સાંભળીને ધર્મદા બોલ્યો કે- હે રાજન્ ! તમારું સુવર્ણ તમારા ભંડારમાં જ રહો, મારે તેનું કામ નથી, મારે તો મારા સુવર્ણપુરુષનો જ ખપ છે. તમે મારી વસ્તુ મેળવી આપવા સમર્થ હોવા છતાં જો મારી ઉપર કૃપા નહિ કરો તો મારા અભાગ્ય ! બીજું શું કહું? બાકી મને તો સંતોષ ત્યારે જ થાય કે જયારે મારો સુવર્ણપુરુષ મળે. હું તમારું સુવર્ણ લેવા ઇચ્છતો નથી. સપુરુષો માનને છોડીને પરદ્રવ્ય લેતા નથી.” કહ્યું છે કે બપૈયો જળ હું પીયે, ક્યું ઘણ તુકો દેઈ, માણ વિવજ્જઉ ધડ પડે, મરે ન ચંચૂ ધરેઈ. બપૈયો તો વરસતા વરસાદનું જ પાણી પીએ છે પણ તે સિવાય મરી જાય તો પણ બીજા જળમાં ચાંચ બોળતો નથી.” ખરો તે એક ચાતક પક્ષી જ સાચો માની છે કે જે સુખેથી જીવે છે અને પુરંદર (વર્ષા આપનાર ઈન્દ્ર)ને જ યાચે છે અથવા મરણ પામે છે.” “કૂપમાંથી જળ પીવું હોય તો અધોમુખ થવું પડે છે અને નદીઓ તો બિચારી રાંકડી સ્ત્રીઓ જેવી છે. બગલા, ટીટોડી વગેરે તુચ્છ પક્ષીઓ સરોવરના જળનું પાન કરે છે, પણ તૃષિત થવા છતાં ચાતક ક્યારેય પણ ક્રૂર જંતુઓથી દૂષિત જળ પીતો નથી, તેથી તે માનથી ઊંચી ડોક રાખીને માત્ર ઈન્દ્રને જ યાચે છે.” તેથી હે રાજનું! તમારે મને તમારું સુવર્ણ લેવાનો આગ્રહ ન કરવો. આ પ્રમાણેનો તેને નિરધાર જાણીને રાજા મનમાં વિચારે છે કે – “જો મારાથી આ આશ્રિતની કાર્યસિદ્ધિ નહીં થાય તો હું આ પૃથ્વી ઉપર મોટું કેવી રીતે દેખાડીશ ?” આમ વિચારીને તેણે બીડું હાથમાં રાખીને કહ્યું કે-“મારી સભામાં કોઈ એવો મનુષ્ય છે કે જે આ માણસનો સુવર્ણપુરુષ મેળવી આપે ? જે એવો હોય તે આ બીડું ગ્રહણ કરો.” ચંદ્રયશા કુમારે
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy