SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય બોલ્યો કે-“અરે ! મારું ભક્ષ્ય ક્યાં ગયું?” આમ બોલીને તે દર્વાચન કરવા બેઠો. તે વખતે અવસર જોઈને ધર્મદતે ત્યાં આવી રાક્ષસની પાછળ ઊભા રહીને તેનું ખર્ગ ઉપાડ્યું. પછી તે ખગ્નને પુષ્ટિમાં પકડીને સામો આવી ધર્મદત્ત બોલ્યો કે, “અરે દુષ્ટ રાક્ષસ ! સાવધાન થઈ જા, તારા પાપનો ઉદય થઈ ગયો છે. તારા ઉપર દૈવ રૂષ્ટમાન થયો છે. આ પ્રમાણે સાંભળતાં જ તે રાક્ષસ કોપાકૂળ થઈને ઊભો થવા જાય છે. તેટલામાં તો ધર્મદત્તે લઘુલાઘવી કળાથી તેનું મસ્તક છેદી નાખ્યું. પોતાના પતિને સફળતા પ્રાપ્ત થવાથી હર્ષિત થયેલી ધનવતીએ ધર્મદત્તના હાથની પૂજા કરી. હવે તેઓ નિઃશંકપણે તે વનમાં ફરવા લાગ્યા અને દ્રાક્ષ, આમ્ર, કદલી વગેરેના ફળોનો આહાર કરતાં યુગલિકની જેમ આનંદથી રહેવા લાગ્યા. સ્વેચ્છાપૂર્વક સુખ પ્રાપ્તિ થવાને કારણે તેમને મનમાં રાજ્ય પ્રાપ્તિ જેટલો આનંદ થયો. કારણકે વિરહાદિક દુઃખમાં રાજય પણ અરણ્ય જેવું દુઃસહ થઈ પડે છે. ત્યાં ધર્મદત્ત અને ધનવતી કથા, ગાથા, કાવ્ય અને એકબીજાને ઉખાણાં પૂછવા દ્વારા કાળ પસાર કરવા લાગ્યા.. પરસ્પર વાર્તાવિનોદ કરતાં ધર્મદત્તે પૂછ્યું કે– હે કાંતે ! હે કમળલોચને ! મધ્યમાં શો અક્ષરવાળો કયો શબ્દ છે કે જે આપણને બંનેને પ્રિય છે તે કહે.” થોડીવાર વિચાર કરીને સ્ત્રી બોલી કે– તે નામ જાણ્યું.” “શું જાણું ?' એમ પૂછતાં તે બોલી કે–અશોક પછી ધનવતીએ કહ્યું કે હે નાથ ! જો તમે મારા પ્રશ્નનો ઉત્તર આપો તો હું તમારા પગની રજ થાઉં, સાંભળો. “રાજાને કેમ બોલાવાય ! સુગ્રીવની સ્ત્રીનું નામ શું? અને દરિદ્રી શું ઈચ્છે? તેમજ તપસ્વીઓ શું કરે?” વિચાર કરીને ધર્મદત બોલ્યો કે- “હે પ્રિયા ! તારું કથન સમજયો. તારા કથનનો ઉત્તર. દેવતારાધન' તે પંડિત પુરુષોએ નિરંતર કરવા યોગ્ય છે. આ પ્રમાણે વિનોદમાં કેટલોક કાળ પસાર થયો. એક વખત સદ્ધર્મિણી એવી તેની પ્રિયાએ કહ્યું કે–અહીં રહેતાં આપણું આયુષ્ય ધર્મરહિત મનુષ્યની જેમ નિરર્થક જાય છે અને આપણો ભવ અરણ્યમાં ઉગેલા માલતીના પુષ્પની જેમ વૃથા થઈ રહ્યો છે. કહ્યું છે કે–“દેવપૂજા ન કરનાર, સુપાત્રદાન ન દેનાર, શ્રાવકનો ધર્મ કે સાધુનો ધર્મ ન પાળનાર પ્રાણી આ અતિ દુર્લભ મનુષ્યજીવન પામ્યા છતાં અરણ્યરૂદનની જેમ તેને નિષ્ફળ કરે છે. આ ભવરૂપી સમુદ્રમાં દક્ષિણાવર્ત શંખ જેવા દુર્લભ મનુષ્યજન્મને પામીને ઉત્તમ પુરુષો તેને સુકૃતરૂપી ગંગાજળથી પૂરે છે, પાપરૂપી મદિરાવડે પૂરતા નથી.” “ત્રણ જગતના પતિની પૂજા કરતાં, સંઘની અર્ચના કરતાં, તીર્થોની યાત્રા કરતાં, જિનવાણીને સાંભળતાં, સુપાત્રાદિ દાન આપતાં, તપને તપતાં અને પ્રાણીઓ ઉપર અનુકંપા કરતાં કરતાં જેમના દિવસો પસાર થાય છે તે પુણ્યાત્માઓનો જ જન્મ સફળ છે.” જે મૂઢ મનુષ્ય દુષ્માપ્ય એવા આ મનુષ્યભવને પામીને યત્ન પૂર્વક ધર્મ કરતો નથી તે પ્રાણી અનેક પ્રકારના કષ્ટોથી પ્રાપ્ત થયેલા ચિંતામણિરત્નને પ્રમાદથી સમુદ્રમાં નાંખી દે છે. જે મનુષ્ય પ્રાપ્ત થયેલા ધનનો વ્યય ધર્મને માટે કરતા નથી, જેઓ સ્વાભાવિક કરૂણાવાળા કે દુઃખથીપિડીત પ્રાણી વિષેઆકુળવ્યાકુળ થતા નથી અને જેમણે સચ્ચારિત્રવડે આત્માને સાધ્યો નથી તેમનો આ જન્મ સેંકડો જન્મના મહાપ્રયાસે મળેલો હોય છતાં નિષ્ફળ થાય છે.” “પ્રાતઃકાળમાં ઘરદેરાસરમાં શ્રીજિનેશ્વરને અભિષેક કરવા નિર્મળ જળથી ભરેલ કળશ, પુષ્પની માળા, પ્રદીપ, નૈવેદ્ય,
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy