SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પલ્લવઃ પિતાએ એક મોટું વહાણ તૈયાર કરાવીને કુટુંબ સહિત મને લઈને તે તરફ પ્રયાણ કર્યું. રસ્તે ચાલતાં ભાગ્યવશથી પ્રતિકૂળ પવનના લીધે તે પ્રવહણ ભાંગ્યું અને સર્વ સમુદ્રમાં ડુબી ગયા. દૈવયોગે ધનવતીના (મારા) હાથમાં એક પાટીયું આવ્યું. તેના વડે તરતી તરતી સાત દિવસે કિનારે પહોંચી. ત્યાં સ્વસ્થ થઈને એક સરોવરમાંથી પાણી પીને તે સુતી હતી, તેટલામાં કોઈ રાક્ષસે ત્યાંથી ઉપાડીને અહીં મૂકી. હું તે રાક્ષસને જોઈને કંપવા લાગી. મને કંપતી દેખીને રાક્ષસ બોલ્યો કે- “હે વત્સ ! તું ભય પામીશ નહીં, હું ભૂખ્યો છું પણ તને સુકુમાર જોઈને મને દયા ઉત્પન્ન થઈ છે, તેથી હું જ્યાં સુધી મને બીજું ભક્ષ્ય મળશે ત્યાં સુધી તેને ખાવાનો નથી.” આમ કહીને તેં અહીંથી ગયો અને તમને ઉપાડી લાવ્યો. હું તમારા દુઃખથી દુઃખી થઈ છું. હે પુરુષોત્તમ ! તમને જોઈને મને ચિંતા થાય છે કે–“શું આવા નરરત્નને આ રાક્ષસ ખાઈ જશે? દેવે મને ભાગ્યવર્જિત એવી પાપિણીને ક્યાં સર્જી કે જેને માટે આખા કુળને સમકાળે મૃત્યુ પ્રાપ્ત થયું, હું વિદેશમાં આવી પડી, મારો વિવાહ અટકી ગયો અને મારાં દેખતા તમારા જેવા ઉત્તમ પુરુષનો વિનાશ થશે ! હું તો આ બધા કારણોને લઈને વધારે અનિષ્ટ ન જોવા માટે આત્મઘાત કરવા ઇચ્છું છું. હું હવે વધારે દુઃખ જોવા કરતા મૃત્યુને ઈષ્ટ માનું છું. પરંતુ મૃત્યુ પામતા પહેલા હું આપને એટલું પૂછું છું કે તમે કોણ છો? ક્યાં રહો છો? અને આ રાક્ષસના હાથમાં કેવી રીતે પકડાયા? તે કહો તેથી મને કંઈક શાંતિ થાય.” આ પ્રમાણે તે સ્ત્રીના વાક્યો સાંભળીને ધર્મદત કંઈક સ્મિત કરીને બોલ્યો કે “ ઉદાસીન સ્ત્રી ! મારું સ્થાન વગેરે તો તેં જ સંક્ષેપમાં કહ્યું છે.” પછી પોતાનું બધું વૃત્તાંત ધર્મદને ટુંકાણમાં તેને કહ્યું. એ વખતે કોઈક શુભ પરિણામને સૂચવનાર તે કન્યાનો ડાબો હાથ ફરક્યો. ધર્મદત્તની વાતથી અને કેટલીક ચેષ્ટાથી તેણે પણ જાણ્યું કે “જરૂર આ ધર્મદત્ત જ છે.” તેથી તે કંઈક લજ્જા પામી નીચું જોવા લાગી. ત્યારબાદ તેણે પ્રીતિપૂર્વક ધર્મદત્તને કહ્યું કે-“હે મહાભાગ ! અનુકૂળ દૈવે જ આપણો સંબંધ જોડી દીધો છે. અહો ! ક્યાં આપણી બન્નેની જન્મભૂમિઓ ! પરસ્પર કેટલી દૂર અને ત્યાંથી વળી આ સ્થાન કેટલું દૂર ? પરંતુ પુણ્યના "ઉદયથી મનુષ્યોને અસંભાવ્ય વાત પણ સંભાવ્ય થાય છે.” પછી ધર્મદત્તે પૂછ્યું કે– કન્યા તું લગ્નનો દિવસ જાણે છે?” તે કન્યા દિવસો ગણીને બોલી કે હે ભાગ્યવાન્ ! તે દિવસ આજે જ છે.” પછી વનમાં મળતી લગ્નસામગ્રીવડે ધર્મદત્તે બરાબર લગ્નવેળા સાધીને તેની સાથે પાણિગ્રહણ કર્યું. ત્યારબાદ કન્યા બોલી કે, “હે પ્રિય! તમને રાક્ષસનો ભય છે, તે માટે આપે શું વિચાર્યું છે ?” તેથી તે બોલ્યો કે-“હે પ્રિયે ! તે રાક્ષસના વધનો ઉપાય તું જાણે છે?” સ્ત્રીએ કહ્યું કે- તે પ્રથમ સરોવર ઉપર જઈને સ્નાન કરે છે, પછી અહીં આવીને તે દેવાર્યા કરે છે, તે વખતે તેનું દેવી ખગ તે પોતાની બાજુ ઉપર મૂકે છે.” તે સાંભળીને ધર્મદત્ત બોલ્યો કેપ્રિયે! તે વખતે તેનું ખગ ઉપાડીને તેના વડે જ હું તેના મસ્તકનો છેદ કરીશ.” તેઓ આ પ્રમાણે વાત કરે છે તેટલામાં રાક્ષસને આવતો જોઈને સ્ત્રી બોલી કે તે આવે છે, માટે હમણાં આઘાપાછા થઈ જાઓ.” ધર્મદત્ત ખસી ગયો. એટલામાં તે મદોન્મત્ત રાક્ષસ ત્યાં આવ્યો અને
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy