SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પલ્લવઃ જ માનતા તે દંપતી પુત્રની ચિંતા છોડીને ધર્મધ્યાનમાં પરાયણ થયા. અનુક્રમે તેઓ શુભધ્યાનથી મરણ પામીને મહર્ષિક દેવો થયા. માતાપિતાનું મરણ સાંભળીને પણ પુત્ર ઘરે આવ્યો નહી. જ્યાં સુધી માતાપિતા હતા ત્યાં સુધી તો ધર્મદત્તના મંગાવ્યા પ્રમાણે તેઓ વેશ્યાને ધન મોકલાવ્યા કરતા હતા, ત્યારપછી તેની સ્ત્રી પણ ધન મોકલાવતી હતી, પણ જ્યારે તે ધનહીન થઈ ત્યારે તે દ્રવ્ય મોકલી શકી નહીં અને તેને પણ રેંટીયાનું શરણ લેવું પડ્યું કહ્યું છે કે : – કંતવિભ્રૂણી કામિની, કોને શરણે જાય, રેંટડીએ પૂણી કરી, પેટ ભરે જઈ તાય. ૩૧ એક દિવસ વેશ્યાએ મોકલેલી દાસી ધન લીધા વિના પાછી આવી તેથી ધર્મદત્તને નિર્ધન જાણીને વેશ્યાની માતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો. ‘ખરેખર, નિર્ધનને કોઈ ઇચ્છતા નથી. લોકોમાં પણ લક્ષ્મી સહિત ગોવિંદ ગામમાં રહે છે એટલે કે ગામમાં મંદિર હોય છે અને શિવ લક્ષ્મી વિનાના હોવાથી અરણ્યમાં વસે છે.” જેમ ગોળ હોય, માથે છાપ હોય પણ જો તે ખોટું નાણું હોય તો તેને કોઈપણ હાથમાં લેતું નથી તેમ સારી આકૃતિવાળો અને વિદ્યાવાળો વ્યક્તિ જો દ્રવ્ય વિનાનો હોય તો તેને કોઈ માન આપતું નથી. સર્વ લોકો દ્રવ્યના દાસ છે, મનુષ્યના નહીં. જેમ સુકાઈ ગયેલા પાણી વિનાના સરોવરને પક્ષીઓ પણ ઇચ્છતા નથી અને તેની સામે પણ જોતાં નથી તેમ આ ધર્મદત્ત વેશ્યામાં સ્નેહવાળો હતો, લાંબાકાળથી વેશ્યાએ તેને સેવેલો હતો, તેનું પુષ્કળ દ્રવ્ય લીધું હતું,, છતાં એકવાર દ્રવ્ય ન આવવાથી વેશ્યાએ તેને કાઢી મૂક્યો. વેશ્યામાં સ્નેહ હોતો નથીં, દ્રવ્યમાં સ્થિરતા હોતી નથી, મૂર્ખમાં વિવેક હોતો નથી અને બાંધેલા કર્મનો ભોગવ્યા વિના વિનાશ થતો નથી. વિરકત થયેલી વેશ્યા, પ્રાણસંદેહ, ધનહાનિ, પરાભવ વગેરે સર્વ પ્રાણીને દુર્જનની જેમ અનર્થ કરે છે. વાદળની છાયા, તરણાનો અગ્નિ, દુર્જનમાં પ્રીતિ, સ્થળમાં જળ, વેશ્યાનો રાગ અને કુમિત્રની મિત્રાઈ એ છએ પાણીના પરપોટા જેવા છે. આ પ્રમાણે વિચારતો ધર્મદત્ત પોતાના ઘરની પાસે આવ્યો ત્યારે તેણે ઘરની દુઃખકારી અવસ્થા જોઈ. દરવાજો પડી ગયો હતો, ભીંતો જર્જરીભૂત થયેલી હતી અને બારણાઓ તૂટી ગયા હતા. ઘરની આવી સ્થિતિ જોઈને પોતાના વ્યસનાસક્તપણાને નિંદતો તે ઘરની અંદર ગયો. ઘરની અંદર આંખમાંથી આંસુ સારતી અને રેંટિયો કાંતતી પોતાની પ્રિયાને જોઈ. અને સ્ત્રીએ પણ ઇંગિતઆકારાદિ વડે તેને ઓળખીને યથાયોગ્ય સત્કાર કર્યો. કારણકે પ્રજાનો દેવ રાજા છે, મનુષ્યોના દેવ પિતૃઓ છે, સુશિષ્યના દેવ ગુરુ છે અને સ્ત્રીઓનો દેવ પતિ છે. વળી ગાંભીર્ય, ધૈર્ય, ઔદાર્ય, ચતુરાઈ, નિર્લોભતા, સર્વ સહનશીલતા, માધુર્ય અને સરળતા—એ સુસ્ત્રીના ગુણો છે. પત્નીએ ધર્મદત્તને કોગળા કરવા પાણી આપ્યું, ત્યારબાદ તેની પાસે આસન મૂક્યું, ધર્મદત્ત તે આસન પર બેઠો ત્યારપછી તેણીએ તેની પાસે ઘરના સ્વરૂપનું નિવેદન કર્યું. તે સાંભળીને ખેદ પામેલા અને દિગ્મૂઢ થઈ ગયેલા પોતાના પતિને જોઈ સ્ત્રી બોલી કે—‘હે સ્વામી ! હે પ્રાણેશ ! ચિંતા કેમ કરો છો ? તમે જો સાજાતાજા છો, દક્ષ છો, તો કાંઈ ગયું નથી, જો તમે સાવધાન થઈને બધું સંભાળશો તો તો બધું સારું થશે. માટે ખેદ કરો નહીં.' પ્રિયાના આવા વચનો સાંભળીને ધર્મદત્ત બોલ્યો કે—હે પ્રિયે ! ખેદ કેમ ન થાય ? કેમકે નિર્ધન એવા
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy