SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય કહે છે.” આ પ્રમાણે શ્રેષ્ઠીએ અનેક પ્રકારે સમજાવ્યા છતાં પણ શેઠાણીએ પોતાનો આગ્રહ છોડ્યો નહીં. “પ્રાયે સ્ત્રી, રાજા, યાચક અને બાળક પોતાનો આગ્રહ છોડતા નથી. શેઠાણીએ વારંવાર કહેવાથી શેઠે તેનું વચન સ્વીકાર્યું. “સોવાર કહ્યા છતાં પણ સ્ત્રી, પુરુષને સત્ત્વથી ભગ્ન કરે છે. જેમ મસ્યોને જાળ, મૃગોને વાગરા અને પક્ષીઓને પાસ બંધનકારક છે તેમ પુરુષને સ્ત્રી બંધનકારક છે. જેઓ ગંભીર, સ્થિર તેમ જ મોટા પેટવાળા હોય છે તેમને પણ સ્ત્રી ઘંટીના પડની જેમ ફેરવે છે.” પછી શ્રીપતિ શેઠે પ્રવીણ ગણાતા ધૂતકારોને બોલાવીને પોતાનો પુત્ર પ્રવીણ કરવા માટે સોંપ્યો. તેઓ પણ મોટા શેઠીઆનો દીકરો પોતાના તાબામાં આવવાથી બહુ ખુશ થયા. ધૂતકારોએ તે દિવસે ધર્મદત્તની સાથે જળક્રીડા, વનક્રીડા, ઉદ્યાનમાં ક્રીડા વગેરે કરી. “જીવ સ્વભાવે જ નીચ સંગતિ કરનારો હોય છે, તો પછી જેમ ગડુચી લીંબડાનો આશ્રય કરે પછી તેની કડવાશમાં શું કહેવું? તેમ પિતાએ પ્રેરેલો પુત્ર નીચ સંગતિમાં આસક્ત થાય તેમાં શું કહેવું? જેમ માખીઓ ચંદનની સંગતિ છોડી દે છે તેમ નીચજનોની સંગતિથી તે ધર્મદત્તે પૂર્વે પિતાએ આપેલ પુણ્યમાર્ગમાં પ્રવૃત્તિ કરાવનારી શિક્ષાને ત્યજી દીધી. સ્વલ્પ સમયમાં તેની સર્વ કળાઓ નાશ પામી. તે સર્વ શાસ્ત્રો ભૂલી ગયો અને તદ્દન ઉશૃંખલ તેમજ મોટો ચોર બની ગયો. “જેમ બગડી ગયેલું દૂધ કાંજીરૂપ થઈ જાય તેમ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલો મનુષ્ય દુર્જન સ્વરૂપે થાય ત્યારે દુસ્સહ થઈ પડે છે.” એક વખત તે ધૂતકારો તેને મોહ પમાડવા માટે કામ પતાકા નામની વેશ્યાને ત્યાં લઈ ગયા અને વેશ્યાને કહ્યું કે–“તારાથી બને તે રીતે તું આને વશ કરજે એ ધનવાનું હોવાથી તેને કલ્પવૃક્ષની જેમ ફળશે. હવે વેશ્યામાં આસક્ત થયેલો તે પોતાની માતા પાસેથી દ્રવ્ય મંગાવતો હતો અને તેની માતા તેના મંગાવ્યા મુજબ ધન મોકલ્યા કરતી. તેથી તે વેશ્યાની સાથે વિલાસ કરતો આનંદમય રહેતો હતો. તે પ્રમાણે વેશ્યાની સંગતમાં રહેવાથી તે પોતાના માતા પિતાને પણ ભૂલી ગયો. નિઃશંકપણે વેશ્યા સાથે રમણ કરતાં કરતાં સાત વર્ષ વિત્યા એક વખત શેઠે ઘરે આવવા માટે તેને તેડવા માણસો મોકલ્યાં, પરંતુ તે આવ્યો નહીં, એટલે શેઠ અને તેની પત્ની ખૂબ જ દુઃખી થયા. શેઠે વિચાર્યું કે–દેવતાની વાણી હતી કે–મને પુત્ર સંબંધી સુખ પ્રાપ્ત થવાનું નથી. તે વ્યર્થ કેમ થાય? મેં જે ધર્મના ફળમાં શંકા કરી હતી તે કર્મ અત્યારે મને ઉદયમાં આવ્યું છે.' ત્યારપછી તેઓ પુત્રને વારંવાર તેડાવીને થાકી ગયા પણ તે આવ્યો નહીં. તેથી તેના માતા પિતા પરસ્પર કહેવા લાગ્યા કે–આમાં આપણો પોતાનો જ દોષ છે તો બીજાનો શું કામ વાંક કાઢવો?” અને કોને કહેવું. અપરાધ રૂપ વૃક્ષ વાવવાથી આત્મા દારિદ્ર, રોગ, દુઃખો, બંધન અને અન્ય કષ્ટો રૂપ ફળનો ભોક્તા બને છે. પુત્ર વેશ્યામાં અત્યંત આસક્ત થવાથી શ્રીપતિ તથા શ્રીમતિ પુત્રને ધૂતકારને સોંપવારૂપ પોતાના દોષનો પશ્ચાત્તાપ કરવા લાગ્યા. “જેમ પહેલો પોતાના હાથમાંથી વસ્તુ નાંખી દીધા પછી પાછી તેને મેળવવાનો પ્રયત્ન કરવો તે ફોગટ છે.’ તેમ જુગારીની સંગતિથી પુત્રને પાછો વાળવાનો પ્રયત્ન પણ વ્યર્થ છે. હવે પોતાને પુત્ર વિનાના
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy