SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પલ્લવઃ ૧૩૭ કર્યું. એક વખત ક્ષપકશ્રેણિપર આરોહણ કરી ઘાતિકર્મ ખપાવીને તેઓ કેવળજ્ઞાન પામ્યા. ત્યારપછી પાંચ હજાર મુનિઓથી પરિવરેલા તે રત્નપાળ કેવળી ૮૫ લાખ વર્ષનું આયુ પાળી અનેક જીવોને ધર્મોપદેશ આપી, પ્રાંતે અનંતનાથ અને ધર્મનાથપ્રભુના આંતરામાં સર્વકર્મ ખપાવી સિદ્ધિપદને વર્યા. શૃંગારસુંદરી સાધ્વીજી પણ પ૦૦ સાધ્વીજી સહિત મોક્ષસુખને પામ્યા.’’ આ પ્રમાણે શીલધર્મના મહાત્મ્ય ઉપર શૃંગારસુંદરીની કથા કહી અને રત્નપાળ રાજાના પુણ્યપ્રભાવનું પણ વર્ણન કર્યું. તેમજ શીલના સંબંધવાળી બીજી આઠ રાણીઓની કથા પણ કહી. શ્રી વીરપરમાત્મા કહે છે કે—‘ભો ભવ્યો ! શીલધર્મના મહાત્મ્ય ઉપર રત્નપાળ રાજા અને તેની પ્રિયાની કથા સાંભળીને ત્રિવિધે ત્રિવિધ શીલધર્મ પાળવા તત્પર થાઓ. શીલધર્મ ઉપર શ્રી મલ્લિજિનેશ્વર, નેમિનાથ પ્રભુ, જંબુસ્વામી, સમ્યગ્દર્શનવાળા સુદર્શન શેઠ, શ્રી સ્થૂલિભદ્રસ્વામી, સરસ્વતી, સુલસા, સીતા અને સુભદ્રાદિક જેઓ થઈ ગયા છે અને થવાના છે તેમના દૃષ્ટાંતો જાણવા.'' અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે—જેમનું મન બ્રહ્મની વિચારણામાં ક્ષણ માત્ર પણ સ્થિરતા પામ્યું, તેણે સર્વ તીર્થોમાં સ્નાન કર્યું. સર્વ પૃથ્વી દાનમાં આપી, હજારો યજ્ઞો કર્યા, સેંકડો દેવોને સંતોષ્યા અને પોતાના પિતૃઓને સંસારના દુઃખમાંથી ઉદ્ધર્યા તેમજ તે ત્રણ ભુવનને વંઘ થયા.” શીલ ભાગ્યરૂપી લતાનું મૂળ છે, કીર્તિનદીને વહેવા માટેના ગિરિરૂપ છે અને ભવસમુદ્ર તરવા માટે યાનપાત્ર સમાન છે. આ પ્રમાણે ધર્મરૂપી કલ્પવૃક્ષની શીલરૂપી બીજી શાખાનું વર્ણન શ્રી વીરપરમાત્માને મુખેથી સાંભળીને અનેક ભવ્યજીવો આનંદ પામ્યા. શ્રી વીરપરમાત્માની દેશનામાં ચાર શાખાયુક્ત ધર્મકલ્પદ્રુમની બીજી શીલધર્મરૂપ શાખામાં શ્રી રત્નપાળ–પ્રિયા શૃંગારસુંદરીની કથારૂપ પંચમો પલ્લવ સમાપ્ત.
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy