SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય ભીમાટીમાં આવ્યો. પૂર્વજન્મનો તેનો પુત્ર અરૂણ રાજપોપટ થયો હતો. તે જે આંબાના વૃક્ષ પર રહેલો હતો ત્યાં જ ભવિતવ્યતાને યોગે તે આવ્યો. વસુદત્તે આંબાના વૃક્ષ ઉપર તેને જોયો તેથી મોહવડે જાળ નાખી તેમાં તે પોપટને પકડીને પોતાના ઘરે લઈ આવ્યો. પછી સુંદર પાંજરામાં નાખીને તેને રાખ્યો અને તેનું પુત્રની જેમ પાલન કરવા લાગ્યો. તેને તે પોતાની સાથે જમાડવા લાગ્યો અને રાત દિવસ ભણાવવા લાગ્યો. એક દિવસ શેઠ તેનું પાંજરું બંધ કરવું ભૂલી ગયા તેથી પેલી બિલાડીએ તક મળી જવાથી તે પોપટને મારી નાંખ્યો. વસુદત્તને તે વાતની ખબર પડવાથી અત્યંત શોક થયો અને અહર્નિશ તે શોકાકુળ રહેવા લાગ્યો. એક વખત ત્યાં કોઈ કેવળી ભગવંત પધાર્યા. વસુદત્ત તેમને વંદન કરવા ગયો અને પોતાને પોપટ ઉપર આટલો બધો મોહ કેમ થયો ? તેનું કારણ પૂછ્યું, એટલે કેવળી ભગવંતે તે પોપટ સાથેનો પિતાપુત્ર તરીકેનો સંબંધ કહી સંભળાવ્યો. તેથી વૈરાગ્ય પામીને વસુદરે ચારિત્ર લીધું અને તે ચારિત્ર પાળીને મોક્ષે ગયો.” રત્નપાળ ! આ સંસારનું સ્વરૂપ આવું વિચિત્ર છે. તેની માતા બિલાડી થયેલી અને પોપટરૂપે રહેલા પોતાના પુત્રને ખાઈ ગઈ. આ પ્રમાણે સંસારનું વૃત્તાન્ત કહીને કેવળીએ કહ્યું કે-“હે રાજનું ! સંસારનો ઉચ્છેદ કરવા માટે પ્રથમ મન, વચન, કાયાને સ્થિર કરવા. મનુષ્યને વિશુદ્ધ મન, વચનનો સંયમ અને ઇન્દ્રિયોનો નિગ્રહ–એ ત્રણ તીર્થરૂપ છે. તેની આરાધના કરવાથી તે સ્વર્ગ તેમજ મોક્ષને પામે છે. ભીનો અને સુકો એમ બે માટીના ગોળાને કોઈ એક ભીંત તરફ ફેંકે તો ભીની માટીનો ગોળો ભીંત સાથે ચોટી જાય છે અને સુકો ગોળો તે ભીંત સાથે અથડાઈને નીચે પડે છે. તે રીતે જે દુર્બુદ્ધિવાળા અને કામલાલસાવાળા મનુષ્ય હોય છે તેઓ સંસારમાં ચોટે છે અને જેઓ વિરક્ત હોય છે તેઓ સુકા ગોળાની જેમ તેમાં ચોટતા નથી, તેનાથી છુટા પડે છે.” આ પ્રમાણેનો ગુરુભગવંતનો ઉપદેશ સાંભળીને શુભમતિવાળો રત્નપાળરાજા સંસારથી વિમુખ થયો અને દીક્ષાનો અભિલાષી થયો. પછી તેણે મેઘરથ નામના મોટા પુત્રને પોતાના સ્થાને સ્થાપન કર્યો તેને મુખ્ય રાજય આપ્યું અને હેમરથાદિ બીજા સો પુત્રોને જુદા જુદા દેશ આપ્યા. લોકોને વાંછિત દાન આપીને સૌને ઋણરહિત કર્યા. અનેક તીર્થોમાં પુષ્કળ દ્રવ્ય વાપર્યું અને સત્પાત્રોનું પોષણ કર્યું પછી શુભ દિવસે હસ્તિપર બેસીને સર્વ સૈન્યથી પરિવરેલા રાજા મહોત્સવપૂર્વક દિક્ષા લેવા માટે ગુરુમહારાજ પાસે આવ્યો અને એક હજાર રાજાઓ, પોતાની નવ રાણીઓ અને બીજા કેટલાક પુરુષોની સાથે રત્નપાળ રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું.. તેણે પ્રથમ બાહ્ય રાજયને પામીને બાહ્ય શત્રુને જીત્યા હતા. હવે અંતરંગ શત્રુઓને જીતવા માટે સંયમ સામ્રાજય ગ્રહણ કર્યું. વળી તેણે ભાવરિપુને જીતવા માટે ક્ષમારૂપ ખગ્ન, જિનાજ્ઞારૂપ માથે ટોપ અને શીલરૂપ બખ્તર પ્રહણ કરીને જ્ઞાનરૂપ હસ્તિપર આરોહણ કર્યું.. મેઘરથ વગેરે પુત્રો પિતાને નમીને પોતાના સ્થાને ગયા અને રત્નપાળ રાજર્ષિએ કેવળી ભગવંતની સાથે વિહાર કર્યો. થોડા સમયમાં સર્વસિદ્ધાંતના પારગામી થવાથી ગુરુએ તેમને સૂરિપદ આપ્યું. તેમણે ઉપદેશરૂપ પ્રભાવડે સૂર્યની જેમ ભવ્યજીવોરૂપ કમળના વનને પ્રફૂલ્લિત
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy