SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પલ્લવઃ ૧૧૯ અનાદર, ન્યાયમાં રતિ અને દીનપર દયા હોય છે તે રાજા છત્રચામરાદિવડે વિભૂષિત રાજ્યસંપદાને ચિરકાળ ભોગવે છે. રત્નપાળ રાજાએ રાજ્યને ચોર તથા અન્ય ઉપદ્રવ રહિત બનાવીને પીરજનોને સંતોષી કર્યા હતા, તે નિરંતર ન્યાયવડે પ્રજાનું પ્રતિપાલન કરતો હતો, તેના રાજયમાં કોઈ પીડિત થતું નહોતું. તેની પ્રજા ચિતવતી હતી કે–“અહો ! અમારા પૂર્વભવના પુણ્યથી જ અમને આવા રાજા મળ્યા છે.” એ પ્રમાણે બે સ્ત્રી સહિત રાજ્ય પાળતાં અને સુખભોગ ભોગવતાં પાંચસો વર્ષ વ્યતીત થતાં કનકમંજરી રાણીને સિંહસમાન પરાક્રમી પુત્ર થયો તેનું સિંહવિક્રમ નામ પાડ્યું. તે પુત્ર અનુક્રમે પચ્ચીસ વર્ષનો થયો ત્યારે બહોતેર કળાયુક્ત અને રૂપવડે કામદેવ જેવો સુંદર થયો. તેમજ પવિત્ર, વિકસિત નેત્રવાળો, મહાત્કંધ, મહાભૂજ, દુષ્ટ અને પાપીસ્ટોને દુર્દીત અને ધર્મિષ્ઠોમાં ધનદ જેવો થયો. સર્વ સૌમ્યગુણોનો આધાર, પાવાનું, ક્ષમાવાનું, પુણ્યકાર્યમાં પ્રવીણ, સર્વ વિદ્યાવિશારદ, છત્રીશ પ્રકારના આયુધોના અભ્યાસવાળો, વિજ્ઞાનનો સાગર, મંત્રતંત્રાદિના તત્વનો જાણ કક્ષમાં મુખ્ય અને દાનેશ્વરી થયો. અત્યંત પરાક્રમી આ સિંહવિક્રમકુમાર વિવિધ પ્રકારની ક્રીડાઓ કરવા વડે કાળ નિર્ગમન કરવા લાગ્યો. એક વખત અલ્પ રાત્રિ શેષ હતી તે સમયે રત્નપાળરાજ નિદ્રામુક્ત થવાથી ચિત્તમાં નમસ્કારનું ચિંતવન કરવા લાગ્યા. તે વખતે તેમને પિતાનું રાજ્ય યાદ આવ્યું. પ્રભાતે મંત્રી સામેતાદિકને એકત્ર કરીને તેણે કહ્યું કે-“આ રાજ્યપર પુત્રને સ્થાપન કરીને માતાપિતાના રાજયને સંભાળવા માટે જવા ઇચ્છું છું.” આ પ્રમાણેનું તેમનું વચન સાંભળીને પરિજનો બોલ્યા કે–“હે વિભો ! રાજ્ય ઉપર બાળ રાજા શોભતો નથી. આ સંબંધમાં સ્મૃતિમાં કહ્યું છે કે–જ્યાં બાળ રાજા હોય, બે રાજા હોય, સ્ત્રી રાજા હોય અથવા મૂર્ખ રાજા હોય ત્યાં રહેવું નહીં.” “તે સભા જ નથી કે જે સભામાં વૃદ્ધો ન હોય, પ્રજાનું રક્ષણ ન્યાય, દ્રવ્ય અને લોકોનું રંજન–આ રાજયરૂપી કલ્પવૃક્ષની વિપુલ ફળસંપદા જાણવી, કુળશીલ અને ગુણયુક્ત, સત્યધર્મમાં પરાયણ, રૂપવંત અને પ્રસન્ન મનુષ્યને રાજયના અધ્યક્ષ (રાજા) કરવો. એવા રાજાવાળા રાજ્યમાં પ્રાજ્ઞ એવો અમાત્ય રાખેલ હોય તો રાજાને યશ, સ્વર્ગમાં નિવાસ અને પુષ્કળ ધનની પ્રાપ્તિ થાય છે. પુરાતન અને પ્રવીણ અમાત્ય હોય તો રાજયલક્ષ્મી સ્થિર થાય છે. જુઓ ! નવા સરાવવામાં (કોડીયામાં) નાંખેલું જળ તેમાં જ વિલય પામે છે. રાજયમાં મૂર્ખ અમાત્યની નિયોજના કરવાથી રાજાને અપયશ, સ્વર્ગનો નાશ અને નરકમાં પતન પ્રાપ્ત થાય છે.” રાજ્યની અંદર કોષાધ્યક્ષ ક્રમાગત, શુચિ, ધીર, સર્વરત્નનો પરીક્ષક, બુદ્ધિમાનું અને રાજભંડારના રક્ષણમાં તત્પર હોવો જોઈએ. ઇંગિતાકારથી તત્ત્વને જાણનાર, પ્રિયવચન બોલનાર, પ્રિયદર્શનવાળો, એકવાર કહેતાં જ સમજી જાય તેવો અને દક્ષ પ્રતિહાર હોવો જોઈએ. અર્થાત્ આવા માણસની તે સ્થાનકે યોજના કરવી જોઈએ. બુદ્ધિમાનું, મીઠું બોલનાર, દક્ષ, પારકાચિત્તને ઓળખે તેવો, ધીર અને યથાર્થવાદી આવા ગુણવાળો દૂત હોવો જોઈએ. રાજાના સભાસદો ધર્મશાસ્ત્રના અર્થમાં કુશળ, કુલીન, સત્યવાદી અને શત્રુમિત્રમાં સમાનદષ્ટિવાળા હોવા જોઈએ. હે રાજન્ ! હે વિચારજ્ઞ ! આ પ્રમાણેની રાજ્યસ્થિતિનો આપ વિચાર
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy