SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય સંસારસમુદ્રને તરે છે અને લોહ અથવા લોષ્ટની જેમ ભારેકર્મી જીવ હોય છે તે ડુબે છે. જેમ પ્રવહણવડે અવગાહન કરનાર મનુષ્ય યથેપ્સિત સ્થાને પહોંચીને વ્યાપારાદિવડે ઇચ્છિત લાભ મેળવે છે, તેમ ગુરુમહારાજના ઉપદેશ વડે ધર્મરૂપ આલંબનને પામીને ભવ્ય પ્રાણીઓ દુષ્પ્રાપ્ય એવા ઉત્કૃષ્ટ ધર્મને પ્રાપ્ત કરે છે. આ સંસારરૂપ સમુદ્રમાં અત્યંત દુર્લભ એવા બોધિરત્નને પામીને પ્રયત્નપૂર્વક તેનું રક્ષણ કરવું કે જેથી તેને કોઈ ચોરી જાય નહીં.'' ૧૧૮ આ પ્રમાણે ગુરુભગવંતની દેશના સાંભળી સંયમાર્થી એવા મહાસેનરાજા વિશેષ પ્રતિબોધ પામ્યા અને ગુરુભગવંતની પાસે વિધિપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. પછી જ્ઞાનરૂપ હસ્તિ ઉપર આરૂઢ થઈ, શીલરૂપી દૃઢ બન્નર પહેરી, ધ્યાનરૂપી ખડ્ગ ગ્રહણ કરી, સંવેગરૂપ શસ્ત્રને સ્વીકારી, ગુર્વાશારૂપી ટોપ મસ્તક પર ધારણ કરી, ક્રુરકર્મનો નાશ કરવા માટે કોપાયમાન થઈને અને વિચિત્ર પ્રકારની ક્ષમાને ધારણ કરીને તે મોહરૂપી શત્રુને મારવા ઉત્સુક થયા, અને સંમોહરૂપી રાજાની સંસ્કૃતિરૂપ વધુને વૈધવ્યપણાની દીક્ષા આપી અર્થાત્ મોહરાજાને મારીને તેને વિધવા કરી. ચતુર્વિધ સંઘની તથા ગુરુભગવંતની સહાય પ્રાપ્ત કરનાર તે મહાસેન મુનિએ ગુરુમહારાજની આજ્ઞારૂપ નિર્મળ છત્રને મસ્તક પર ધારણ કરી, પ્રવ્રજ્યારૂપ પોતાના સ્વરાજ્યને મોટા મહિમાવાળું કર્યું, પાંચમહાવ્રતો, પાંચઆચાર, પાંચસમિતિ તથા ત્રણગુપ્તિઓને યથાર્થપણે તે પુણ્યાત્મા નિરંતર પાળવા લાગ્યા. તે વખતે રત્નપાળે પુણ્યપ્રભાવી એવા તે રાજાનો મહાન્ દીક્ષામહોત્સવ કર્યો. પોતે ઉત્તમ શ્રાવકપણું અંગીકાર કર્યું. પછી શય્યભવસૂરિએ મહાસેન રાજર્ષિ સહિત અન્યત્ર વિહાર કર્યો અને રત્નપાળ રાજા સ્વસ્થાને ગયા. પોતાના નગરમાં આવીને રત્નપાળરાજાએ મહાસેન રાજાના દીક્ષા પ્રસંગને અંગે અમારિઘોષણાપૂર્વક અષ્ટાહ્નિકા મહોત્સવ મુખ્ય જિનાલયમાં કરાવ્યો અને ‘ઇચ્છિત માંગો’ એવી ઉદ્ઘોષણાપૂર્વક દાનમંડપમાં બેસીને પુષ્કળદાન આપ્યું. ‘દાનથી કીર્તિ વિસ્તરે છે, દુઃખ નાશ પામે છે અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે માટે બંધુજનોએ અવિચ્છિન્નપણે દાન આપવું જોઈએ. જુઓ ! ‘સંગ્રહ કરવામાં તત્પર એવા સમુદ્રને રસાતળમાં જવું પડ્યું અને દાન કરવામાં તત્પર મેઘને આકાશમાં સ્થાન મળ્યું, જેથી તે ગરવ કરે છે.’ * એક વખત શુભદિવસે અન્યરાજાઓએ મળીને રત્નપાળનો વિવિધોત્સવપૂર્વક પટ્ટાભિષેક કર્યો. સીમા પર આવેલા તમામ રાજાઓને તેણે નમાવ્યા. તે રાજાઓએ રત્નપાળને ગજાદિ અનેક વસ્તુઓ ભેટ ધરી. ભક્ત એવા સેવકો અને અમાત્યોથી સેવાતા ચરણકમળવાળો રત્નપાળરાજા રાજાના ગુણોથી યુક્ત થઈ ન્યાયવડે પ્રજાની પ્રતિપાલના કરવા લાગ્યો. જે શત્રુમાં સૂર્ય જેવો પ્રતાપી હોય, સુહૃદોને આનંદઆપનાર ચંદ્રસમાન હોય, પાત્રાપાત્રની પરીક્ષામાં સુરગુરુ (બૃહસ્પતિ) જેવો હોય, દાનમાં કર્ણ જેવો હોય, નીતિમાં રામ સમાન હોય, સત્યમાં યુધિષ્ઠિર સમાન હોય, લક્ષ્મીવડે ધનદ જેવો હોય અને પોતાના ગણાતા મનુષ્યોમાં પક્ષપાતી હોય તથા સૌભાગ્યવાન્ હોય તે સાચો સ્વામી હોય છે.” ક્ષમાવાન્, દાતા અને ગુણગ્રાહી સ્વામી દુઃખે પ્રાપ્ત થઈ શકે છે રાજા સત્ત્વસંપન્ન અને ધર્મનિષ્ઠ હોવાથી અકાળમૃત્યુ વ્યાધિ, દુર્ભિક્ષ અને ચોરનો ભય ઉત્પન્ન થતા નથી. જે રાજાને ગુણમાં રાગ, વ્યસનમાં
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy