SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય થયો હતો. તેણે અવધિજ્ઞાનથી રાજાને ચિંતાતુર સ્થિતિમાં જોયો તેથી તરત જ તે ત્યાં આવ્યો અને પ્રગટ થઈને બોલ્યો કે—‘હે રત્નપાળ ! મને ઓળખો છો ?' રત્નપાળે ઘણું વિચાર્યું પણ તેને ઓળખ્યો નહીં તેથી તે મૌન રહ્યો કાંઈ ઉત્તર આપ્યો નહીં. ત્યારે શ્રાવકનું રૂપ કરીને પૂછ્યું કે ‘હવે મને ઓળખ્યો ?' એટલે તેણે ઓળખીને કહ્યું કે—‘હા ઓળખ્યો. મેં તમારી ગ્લાનપણામાં પરિચર્યા કરી હતી અંતિમ આરાધના કરાવી હતી તમે મારા શ્રાદ્ધમિત્ર છો. તમે પુણ્યયોગે દેવરૂપે થયા જણાઓ છો.' પછી તે દેવના મહાત્મ્યથી સર્વ સૈનિકો જાગૃત થયા અને બધા લડવા માટે સાવધાન થઈ ગયા. ફરી યુદ્ધ શરૂ થતાં જયમંત્રી મરાણો અને તે મૃત્યુ પામીને સાતમી નરકે ગયો. એ ત્યાંથી ચ્યવીને સર્પ થશે અને પાંચમી નરકે જશે. એ પ્રમાણે ઘણા ભવોમાં તે પોતાના પાપનું ફળ ભોગવશે. “પ્રાયે પાપાત્માઓ કષ્ટ ભોગવવા વડે જ પોતાના કર્મસંચયને ખપાવે છે.’ પછી રત્નપાળભૂપાળ કે જે સજ્જનો અને પ્રજાજનો ઉપર નિરંતર કૃપાળુ હતા તેણે પાટલીપુરમાં પ્રવેશ કર્યો. તે વખતે અનેક પ્રકારના વાજિંત્રોના નાદથી આકર્ષિત થયેલી નગરની સ્ત્રીઓ સર્વ કાર્ય ત્યજીને પોતાના રાજાને જોવા માટે ચપળપણે રાજાની સન્મુખ ચાલી. તેઓ રત્નપાળને જોઈને કહેવા લાગી કે—હૈ નરેંદ્ર ! સૂર્ય ઉપરાંત તેજ શું ? વાયુ ઉપરાંત બળવાન્ કોણ ? મોક્ષ ઉપરાંત સુખ શું ? અને તમારાથી વધુ શૂરવીર કોણ ? અર્થાત્ કોઈ નહીં. ‘તે વખતે મળેલા બીજા અનેક લોકો કહેવા લાગ્યા કે—“તમારું પૂર્વકૃત્ પુણ્ય પુનઃ પ્રગટ થયું. જગતમાં એક માંગલિક થયું. તમે પોતાના બળથી ગયેલું રાજ્ય પાછું મેળવ્યું, દુષ્ટ એવા જયમંત્રીનો નાશ કર્યો, દેવતા મિત્ર થયો તેથી તેમજ તમારા બળથી બીજા અનેક પ્રબળ રાજાઓ પણ તમારી સેવા કરવા તત્પર થયા છે.’’ તે વખતે શૃંગારસુંદરી સતી પોતાના ચિત્તમાં બહુ જ પ્રસન્ન થઈ. તે આકરો તપ કરતી હતી અને બ્રહ્મવ્રતમાં અત્યંત દૃઢ હતી, પતિનું મુખ જોયા પછી તેણીએ પોતાના વિગઈત્યાગાદિ તપનું પારણું કર્યું. સારા શૃંગારવાળી તે રાણીને રત્નપાળ રાજાએ પટ્ટરાણી તરીકે સથાપિત કરી. દેવના સાંનિધ્યથી રત્નપાળે અનેક રાજાઓને નમ્ર બનાવી પોતાના પગે લગાડ્યા અને નિષ્કંટકપણે પોતાનું રાજ્ય કરવા લાગ્યો. પ્રસન્ન થયેલા દેવે રાજમંદિરમાં સાતસો કોટી સુવર્ણ અને રત્નની વૃષ્ટિ કરી. ‘પુણ્યથી દેવો પણ વશ થાય છે.’ પછી ‘તમે આનંદથી એક છત્રી રાજ્ય કરો.' એવું રાજાને વરદાન આપીને દેવ સ્વસ્થાને ગયો. ધર્મબુદ્ધિવાળો રત્નપાળ રાજા પૂર્વપુન્યના પ્રભાવથી ઇન્દ્રની જેમ રાજ્યનું પાલન કરવા લાગ્યો. એકવાર રાજા સભામાં બેઠેલો હતો તેટલામાં એક પુરુષ આવીને વિનયપૂર્વક નિવેદન કર્યું કે—‘હે નરેંદ્ર ! આપણા વનમાં એક શ્રેષ્ઠ હસ્તિ આવ્યો છે.’ તે સાંભળીને રાજાએ પોતાના સુભટોને મોકલ્યા, સુભટો વનહસ્તિને પકડી લાવ્યા અને રાજાને સ્વાધીન કર્યો. રાજા તે હાથી ઉપર બેસીને બહાર વનમાં આવ્યા. તેટલામાં તે હાથી રાજાને લઈને આકાશમાં ઉડ્યો. ઘણો દૂર જવા છતાં પણ તે ઊભો ન રહ્યો, તેથી રાજાને ચિંતા થઈ અને તેણે હાથી ઉપરથી ઉતરી જવાનો નિર્ણય કર્યો. તેટલામાં તો તે હાથી ઉપરથી એક સરોવરમાં પડ્યો અને સરોવરના જળમાં તરીને
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy