SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પલ્લવઃ બેટે જાયે કવણ ગુણ, અવગુણ કવણ મુએણ, જઈ બપ્પીકી ભૂંહકી, ચંપી જઈ અવરેણ. ૯૩ ‘પુત્ર થવાથી શું અને મરણ પામવાથી પણ શું ? પુત્ર હોવા છતાં જો પિતાની જમીન બીજો દબાવી બેસે તો તે પુત્ર અપુત્ર સમાન છે.' પછી શ્વસુરને જણાવી તેમની રજા લઈને રત્નપાળે ચતુરંગિણી સેના તથા રત્નવતી સહિત રત્નપાળે પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. પોતાનું રાજ્ય પ્રાપ્ત કરવા માટે અવિચ્છિન્ન પ્રયાણ કરતાં તેને પોતાના સૈન્ય સહિત એક રાત્રે કોઈ વનમાં મુકામ કર્યું. રાત્રિએ જાગતાં રત્નપાળે સુંદર ગીતનો સ્વર સાંભળ્યો, તેથી કૌતુકથી તે ઉઠીને શબ્દને અનુસારે ચાલ્યો. વંસી અને વીણા વગેરેનો ધ્વનિ સાંભળતાં અને આગળ ચાલતાં પુણ્યયોગે એક પ્રાસાદ તેના જોવામાં આવ્યો. રાજા તે પ્રાસાદમાં પ્રવેશ કરે તેટલામાં કેટલીક વિદ્યાધરીઓ પ્રભુ પાસે ગીતનૃત્યાદિ વિનોદ કરી પ્રભુને નમીને પોતપોતાના સ્થાન તરફ ચાલી ગઈ. તે બધી વિદ્યાધરીઓમાં એક દિવ્ય વેષવાળી, રૂપની રેખાવડે મોહ પમાડનારી, વિમાનમાં બેઠેલી અને સખીઓથી પરિવરેલી વિદ્યાધરીને રત્નપાળે જોઈ. રત્નપાળ પ્રાસાદમાં પ્રવેશ કરી વિધિપૂર્વક જિનવંદન કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો. ‘‘સંસારના અખિલ સંકલ્પોને ત્યજીને એક ધ્યાને રહેનારા અને ધ્યાનવડે પરમાનંદપદને પામેલા હૈ જિનેશ્વર ! તમને નમસ્કાર થાઓ. કેવળજ્ઞાનરૂપ દર્પણમાં સંક્રાંત થયેલા લોકાલોકને જોનારા અને પરમાત્મ સ્વરૂપ એવા તમને હે દેવ ! મારા નમસ્કાર થાઓ. હે પ્રભુ ! મારી ઉપર પ્રસન્ન થઈને મારા પર વાત્સલ્ય તેમજ અનુકંપા કરો કે જેથી મારા સર્વ દુર્વાર એવા ભાવરોગ શમી જાય. તૃષાતુરને જળની જેમ દારિદ્રથી હણાયેલા શરીરવાળાને, દૌર્ભાગ્યથી દગ્ધ થયેલાને, શત્રુઓથી અને કષ્ટોથી વિકળ થયેલાને, મૂર્ખપણાથી તપેલાને અને દુ:ખના સમૂહથી અત્યંત પીડિત થયેલા પ્રાણીને હેજિનેશ્વર ! તમે જ એક શરણભૂત છો.'’ આ પ્રમાણે સ્તુતિ કરીને જગન્નાથ શ્રીઆદિનાથ જિનેશ્વરને પોતાના નાથ માની રાજા પાછો વળ્યો. તેટલામાં સૌભાગ્યમંજરીના નામવાળું એક વલય રંગમંડપમાં પડેલું તેણે જોયું. તે લઈને રત્નપાળ ત્યાંથી પોતાના સૈન્યમાં આવ્યો. પ્રાતઃકાળે સેનાસહિત પ્રયાણ કર્યું અને ઉતાવળે પોતાના રાજ્યની હદમાં પ્રવેશ કર્યો. પછી પાટલીપુરપત્તને જયમંત્રી પાસે એક દૂતને મોકલ્યો. તે દૂતે જઈને કહ્યું કે હે જયમંત્રી ! તમારા રાજા રત્નપાળ અહીં આવ્યા છે, તો તમે સામા જઈ તેનું રાજ્ય તેને અર્પણ કરીને તેની સેવા કરો.” તે સાંભળીને ક્રોધી અને માની એવો જયમંત્રી બોલ્યો કે—રે દૂત ! કોણ સ્વામી ને કોણ સેવક ! આ તો વીરભોગ્યા વસુંધરા છે.’ આમ કહીને તે લશ્કર સહિત લડવા માટે તૈયાર થયો. સૈન્ય સાથે નગર બહાર નીકળતાં બન્ને સૈન્ય વચ્ચે ઘોર યુદ્ધ થયું. પરિણામે જયમંત્રીનું સૈન્ય ભાંગ્યું પાછું ક્યું તેથી ક્ષુદ્રચિત્તવાળા મંત્રીએ રત્નપાળના સૈન્ય ઉપર અવસ્વાપિની નિદ્રા મૂકી. પોતાના સૈન્યને નિદ્રાવડે ઘૂર્ણિત થતું જોઈને રત્નપાળ ચિંતાગ્રસ્ત થયો. અહીં રત્નપાળે આરાધના કરાવેલો શુદ્ધ શ્રાવક મૃત્યુ પામીને દેવલોકમાં દેવપણે ઉત્પન્ન
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy