SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાાવ્ય પડશે. આ પ્રમાણે થવાથી થોડા વખતમાં તમારી પાસે દ્રવ્ય એકઠું જઈ જશે.'' આ પ્રમાણે તેને સલાહ આપીને પછી મંત્રી રાજપુત્રીને શોધવા માટે આગળ ચાલ્યો. એક નગરમાં જતાં કેટલીક વેશ્યાઓથી પરિવરેલી પોતાની રાજપુત્રીને તેણે જોઈ. અને જોઈને આંખમાં આંસુ લાવીને મંત્રીએ તેને પૂછ્યું કે—‘હે વત્સ ! તારી આ શું દશા !' તે બોલી કે—‘પાપનો ઉદય, હે મંત્રી ! આ પ્રમાણે અકાર્ય આચરવા છતાં પણ એક ઉપરાંત બીજો પુરુષ મળી શકતો નથી, જેથી દ્રવ્ય પ્રાપ્તિ થતી નથી. તે સાંભળી મંત્રી બોલ્યો કે—‘‘મારી એક સલાહ સાંભળ ! તને જે પુરુષ સો સોનૈયા આપે તેની સાથે જ તું બેસજે, બીજા સાથે બેસીશ નહીં. તારા ભાગ્યમાં એક પુરુષ મળવાનું લખેલ હોવાથી દ૨૨ોજ સો દીનાર આપનાર એક પુરુષ વિધાતાએ આપવો જ પડશે.' આ પ્રમાણે ત્રણેને જુદી જુદી સલાહ આપીને મંત્રી પોતાને ઘરે આવ્યો. આ પ્રમાણે કેટલાક દિવસો પસાર થયા બાદ એક વખત રાત્રિએ વિધાતાએ મંત્રી પાસે આવીને કહ્યું કે—‘‘હૈ બુદ્ધિમાન્ મંત્રી ! તું તો સલાહ આપીને નિશ્ચિંત થયો અને મને ઉપાધિમાં નાંખ્યો. ‘દંડને એવી પ્રેરણા કરી કે જેથી વારંવાર વાજીંત્ર ઉપર તે અથડાયા જ કરે.' હે મિત્ર ! હવે તું આ બંધનમાંથી મને મુક્ત કર. હું દ૨૨ોજ જાતિનંત હાથી, બળદ અને સો દીનાર આપનાર પુરુષ ચાંથી લાવી આપું ?' મંત્રીએ કહ્યું કે—“હે દૈવ ! મેં વાંકે લાકડે વાંકે વેર. એવી લોકકહેવત પ્રમાણે કર્યું છે.” વિધાતાએ કહ્યું કે—‘‘હે મહાબુદ્ધિમાન્ ! મને કાંઈક બીજું કામ બતાવ, તે હું કરી આપીશ, પણ આમાંથી મને છૂટો ક૨,' મંત્રી બોલ્યો કે—‘તો હે દેવ ! એ રાજપુત્રોને તેના પિતાનું રાજ્ય પાછું આપ, એટલે તું છૂટો થઈ જઈશ અને આનંદથી રહી શકીશ.” ત્યારબાદ વિધાતાની સહાયથી મંત્રી બન્ને રાજપુત્રો અને રાજપુત્રીને પોતાના નગરમાં લઈ આવ્યો અને રાજ્ય પચાવી પાડેલા શત્રુઓને કાઢી મૂક્યા. મોટા રાજપુત્રને રાજ્ય ઉપર સ્થાપન કર્યો અને નાનાને યુવરાજપદે રાખ્યો."* આ પ્રમાણેની કથા કહીને શૃંગારસુંદરી બોલી કે—“મંત્રી ! જેમ તે બુદ્ધિમાન્ મંત્રીએ બુદ્ધિચાતુયથી ગયેલું રાજ્ય પાછું મેળવ્યું તેમ તમે પણ એવી યુક્તિ કરો કે,જેથી આ રાજાઓ વચ્ચે થતો વિગ્રહ શાંત થાય.'' રાજપુત્રીના કહેવાથી મંત્રીએ કોઈ ન જાણે તેમ રાજમહેલથી કિલ્લાની બહાર સુધી સુરંગ કરાવી અને તે સુરંગના દ્વારો ઉપર ચિત્તા ખડકાવી, તે ચિત્તા ઉપર રાજકન્યાને બેસાડીને પછી બધા રાજાઓને ત્યાં બોલાવી કહ્યું કે—હે રાજાઓ ! જેને આ કન્યા સાથે પ્રીત હોય તે તેની સાથે ચિત્તામાં પ્રવેશ કરો. જે પ્રવેશ કરશે તેને આ રાજકન્યા આપવામાં આવશે. આ સાંભળીને બધા રાજાઓએ મોઢું નીચું કર્યું, પરંતુ મૂળ પ્રપંચને જાણનાર રત્નપાળ ચિત્તા ઉપર ચડ્યો અને રાજપુત્રીની સાથે તેના બીલમાં ઉતરી રાજમહેલમાં આવ્યો. અહીં દાસીઓએ ચિતા સળગાવી મૂકી. બીજે દિવસે કન્યાસહિત રત્નપાળ પ્રગટ થયો તેથી લોકોએ તેને મોટો પ્રભાવશાળી માન્યો. ત્યાં આવેલા બધા રાજાઓ ફાળ ચૂકેલા વાનરની જેમ હતાશ અને શ્યામમુખવાળા થઈને પોતપોતાને સ્થાનકે ગયા. ત્યારપછી સારે દિવસે રાજાએ રત્નપાળ અને શૃંગારસુંદરીનો પાણિગ્રહણ મહોત્સવ
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy