SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પલ્લવઃ ૮૧ કે—‘આ સંગ્રામ બંધ થાય તેવો કોઈ ઉપાય છે ? કે જેથી આ બધા રાજાઓ શાંત થાય ? જે વાત પરાક્રમથી સાધ્ય ન હોય તેમાં બીજો ઉપાય કરવો જોઈએ. કારણકે તેથી જ કાર્યસિદ્ધિ થાય છે અને હાંસીપાત્ર થવું પડતું નથી. પૂર્વે પણ એક મંત્રીએ બુદ્ધિના વ્યાપારથી પોતાના રાજાનું રાજ્ય પાછું મેળવ્યું હતું તેની કથા આ પ્રમાણે છે— જ્ઞાનગર્ભમંત્રીની કથા * ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં પૂર્વે નરવાહન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને બૃહસ્પતિ જેવો જ્ઞાનગર્ભ નામનો બુદ્ધિમાન્ મંત્રી હતો. એક વખત રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો, રાજાએ છઠ્ઠીને દિવસે ષષ્ઠિજાગરણનો ઉત્સવ કર્યો. તે દિવસે વિધાતા આવીને શું લેખ લખે છે ? તે જાણવાની અભિલાષાથી જ્ઞાનગર્ભમંત્રી ગુપ્તપણે દીપકની પાછળ રહ્યો. મધ્યરાત્રિએ દેવે આવીને તેના લેખ લખ્યા અને આ પ્રમાણે કહ્યું કે—‘આ રાજપુત્ર શિકારની ક્રિયાવડે જ આજીવિકા ક૨શે ! તેમાં પણ તેને એક જીવ જ મળશે. વધારે પ્રાપ્તિ થશે નહીં.” આ પ્રમાણે સાંભળીને જ્ઞાનગર્ભ મંત્રી ચિંતવવા લાગ્યો કે—‘જુઓ ! રાજપુત્રનું પણ ભાગ્ય કેવુ આશ્ચર્યકારી છે !' ત્યારપછી કેટલોક સમય બાદ તે રાજાને બીજો પુત્ર થયો. તેની છઠ્ઠીને દિવસે પણ મંત્રી તે જ રીતે પ્રચ્છનપણે ત્યાં રહ્યો. તેના લેખ લખ્યાબાદ દૈવે કહ્યું કે—‘આ રાજપુત્ર બળદ વહન કરનારો અને ઘાસ વેચીને આજીવિકા કરનારો થશે. તેને એક બળદ જ મળશે, બીજો મળશે નહીં.' ત્યારપછી ત્રીજી પુત્રી થઈ. તેના લેખમાં વિધાતાએ એવું લખ્યું કે—‘આ રાજપુત્રી વેશ્યા થશે, પણ એક પુરુષ જ તેને મળશે, વધારે નહીં મળે.'' આ પ્રમાણે ત્રણેના લેખ સંબંધી હકીકત જાણીને મંત્રી ઘણો દુઃખી થયો. કેટલોક કાળ વીત્યા પછી રાજાના પિતરાઈઓએ રાજાને હણીને રાજ્ય લઈ લીધું. તેથી તેના ત્રણે પુત્ર-પુત્રી ત્યાંથી ભાગી ગયા અને અનુક્રમે વિધાતાએ લખેલા લેખ પ્રમાણે કાર્યો ક૨વા લાગ્યા. કેટલાક સમય બાદ મંત્રી તેમની તપાસ કરવા નીકળ્યો. ફરતાં ફરતાં પ્રથમ રાજપુત્ર તેને મળ્યો, શિકાર કરતાં પહેલાં રાજપુત્રને જોઈને મંત્રીએ તેને ઓળખીને કહ્યું કે—“આ શું કરો છો ?' રાજપુત્રે કહ્યું કે—‘‘આ શિકાર કરવા છતાં પણ એકથી વધારે જીવ મળતો નથી, તેથી મહાકરે આજીવિકા ચલાવું છું.” મંત્રીએ તેને કહ્યું કે—‘હું તમને હિતકારી વચન કહું તે સાંભળી તે પ્રમાણે વર્તો. તમારે ભદ્રજાતિનો હાથી મળે તો જ તેને મારવો કે જેના મસ્તકમાંથી મહામૂલ્યવાન મોતી નીકળે છે. વિધિએ તમને એક જીવ મળવાનું લખ્યું છે, તો તેને તમને એક જીવ આપવો જ પડશે. એવો હાથી દ૨૨ોજ મળવાથી તમે થોડા વખતમાં સારા દ્રવ્યવાન્ થઈ જશો !'' તેને આ પ્રમાણે કહી કબૂલ કરાવીને પછી મંત્રી બીજા રાજપુત્રની શોધમાં નીકળ્યો. આગળ જતાં કોઈ નગરમાં તેને ચતુષ્પથમાં બીજો રાજપુત્ર મળ્યો. મંત્રીએ ઓળખ્યો. તેની પાસે બળદ હતો અને તેની ઉપર ઘાસનો ભારો વેચવા તે ઊભો હતો. તેની હકીકત સાંભળીને મંત્રીએ તેને સલાહ આપી કે—‘તમારે દ૨૨ોજ ઘાસ સાથે બળદ પણ વેચી નાંખવો. એટલે વિધાતાએ તમારા ભાગ્યમાં લખેલું હોવાથી તેને દ૨૨ોજ નવો બળદ તમને આપવો જ
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy